________________
આર્ય વજસ્વામી
ઉપર દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરી. આ રીતે દેવોએ જ્ઞાનપ્રાપ્તિનો અદ્ભુત મહિમા કર્યો.
કેટલીક કાળ પસાર થતાં વયોવૃદ્ધ થયેલા આચાર્ય ભગવંત સિંહગિરિએ પોતાની અસ્વસ્થ રહેતી તબિયતને લક્ષમાં લઈને ગચ્છના નાયક તરીકેની જવાબદારી વજસ્વામીને સોંપવાનું વિચાર્યું. એમના સર્વે શિષ્યોએ એ પ્રસ્તાવ સહર્ષ સ્વીકાર્યો. વજસ્વામીને ગચ્છનાયક તરીકે જાહેર કરવામાં આવ્યા અને એમના હાથ નીચે પોનાના પાંચસો આધુઓને મૂક્યા.
વજ્રસ્વામી તે બધાથી વયમાં ઘણા નાના હતા, પરંતુ જ્ઞાનમાં સૌથી મોય હતા. કેટલાક સમય પછી આચાર્ય ભગવંતની તબિયત વધુ અસ્વસ્થ થઈ. પોતાના સાળાચારમાં શિથિલતા ન આવે એ માટે આચાર્ય ભગવંત અનશન સ્વીકારી ફાળધર્મ પામ્યા.
વજ્રસ્વામી ગચ્છના અધિપતિ તરીકે પોતાના પાંચસો શિષ્યોના સમુદાય સાથે જુદે જુદે સ્થળ વિશ્વાર કરવા લાગ્યા. તેઓ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં લોકો તેમનું બહુમાનપૂર્વક સ્વાગત કરતા. તેઓ એટલા તેજસ્વી અને ગૌરવવંત લાગતા કે એમને જોવા એમનાં દર્શન કરવા લોકો દોડતા. તેમના ઉજ્જવલ શીલ અને લોકોત્તર શ્રુતતાની બધા બહું જ પ્રભાવિત થઈ જતા. તેની દેખાવમાં જાણે બીજા ગૌતમસ્વામી વિહરતા હોય તેમ સૌને લાગતું. તે સમયે પાટલીપુત્રમાં ધન નામના એક મોટા શ્રેષ્ઠી રહેતા હતા. તેમણે વિહાર કરતાં - જતાં આવતાં સાધુ-સાધ્વીઓ માટે પોતાની યાનશાળામાં ઊતરવાની વ્યવસ્થા કરી હતી. એક વખત વજ્રસ્વામીના સમુદાયની કેટલીક સાધ્વીજીઓએ ત્યાં મુકામ કર્યો હતો. તે વખતે ધન શ્રેષ્ઠીની યુવાન રૂપવતી પુત્રી રુક્મિણી વંદન કરવા આવી. સાધ્વીજીઓએ વાતચીતમાં તેની આગળ પોતાના યુવાન ગુરુ ભગવંત વજસ્વામીની તેજસ્વિતાની બહુ પ્રશંસા કરી. રુક્મિણીને સાધુજીવનની બહુ ખબર નહોતી, પરન્તુ વસ્વામીના ગુણગાન સાંભળીને એણે મનમાં એવી દઢ સંકલ્પ કર્યો કે હું પરણીશ તો વજસ્વામીને જ પરણીશ.' સાધ્વીજીને આ વાતની જાણ થઈ. તેઓએ રુક્મિણીને સમજાવી કે ‘વજ્રસ્વામી તો પંચમહાવ્રતધારી સાધુ છે. એ તને કેમ પરણે ?' ત્યારે રુક્મિણીએ કહ્યું, ‘વજ્રસ્વામી જો સાધુ હશે તો હું પણ એમની પાસે દીક્ષા લઈશ. જેવી તેમની ગતિ હશે તેવી જ મારી થશે.'
થોડા સમય પછી વજસ્વામી પાટલીપુત્ર પધાર્યા. એમના આગમનના સમાચાર જાણી રાજા પોતાના પરિવાર સાથે નગર બહાર તેમનું સ્વાગત કરવા લાગ્યા. પરંતુ ત્યાં તેઓ મૂંઝવણમાં પડ્યા, કારણ કે તેજસ્વી પ્રતિભાવાળા, આકર્ષક આકૃતિવાળા, મધુરભાષી, સમતાવંત એવા ઘણા સાધુઓમાં વજસ્વામી કોણ છે તે તેઓ તરત પારખી શક્યા નહિ. જે જે સાધુઓ આવતા ગયા તેમને તેઓ પૂછતા કે ‘આપ વજસ્વામી છો ?' દરેક કહેતા કે ના ઋ | પૂજ્ય આચાર્ય ભગવંત વજસ્વામી તો પાછા આવે છે. અમે એમના શિષ્યો છીએ.’
છેવટે જ્યારે વજસ્વામી પોતે આવ્યા ત્યારે રાજા તો એમને
Jain Education International
૫૫
અનિમેષ નયને જોઈ જ રહ્યા. નજર ખસેડવાનું મન ન થાય એવા પ્રભાવશાળી તેઓ હતા. રાષ્ટ્રએ ભક્તિભાવથી એમને વંદન કર્યાં. વજસ્વામીએ રાજા અને તેમના પરિવારને જે ઉપદેશ આપ્યો તે સાંભળીને સૌએ ધન્યતા અનુભવી.
એ વખતે રુક્મિણીએ વજસ્વામીને જોતાં જ પોતાના પિતાને વિનંતી કરી કે ‘વજસ્વામી સાથે મારાં લગ્ન કરાવી આપો. એ સિવાય હું જીવી નહિ શકું.'
પિતાએ પુત્રીને પછી સમજાવી પણ તે માની નહિ. છેવટે પુત્રીની ઇચ્છાને માન આપી, તેને લગ્નને યોગ્ય શણગાર સજાવ્યા. પછી તેઓ તેને લઈને વજસ્વામી પાસે જવા નીકળ્યા. લગ્ન માટે વજ્રસ્વામી જેટલું ધન માગે તેટલું ધન આપવું એમ વિચારી તેમણે સાથે ધન પણ લઈ લીધું.
વજ્રસ્વામીને આ વાતની અગાઉથી જાણ થઈ ગઈ હતી. રુક્મિણી તો શું પણ કોઈ પણ સ્ત્રીને પોતાના પ્રત્યે કામાકર્ષણ ન થાય તે માટે તેમણે પોતાની લબ્ધિનો ઉપયોગ કરીને પોતાના સમગ્ર દેખાવને થોડો વિરૂપ બનાવી દીધો. એ વખતે વયસ્વામીની ઉપદેશવાણી સાંભળવા ઘણા લોકો આવતા, તેઓ એ સાંભળીને ખૂબ પ્રભાવિત થતા. પરંતુ તેઓ માંહોમાંહે વાતો કરવા લાગ્યા હતા કે, ‘આ મહાત્માનો ઉપદેશ તો અદ્ભુત છે. પરંતુ ઉપદેશ પ્રમાણે એમની મુખાકૃતિ જો આકર્ષક હોત તો કેવું સારું ?'
વજ્રસ્વામીએ લોકોના મનના ભાવ જાણી લીધા. બીજે દિવસે એમણે વૈપિ સન્ધિથી એક વિશાળ સાસ્ત્રદળ કમળ બનાવ્યું. પછી પોતાનું મૂળ સ્વરૂપ ધારસ કરી રાજહંસની જેમ તે કમળ પર બેઠા. લોકો તેમનું સ્વરૂપ કોઈ આનંદ અને આર્ષથી મુગ્ધ બની ગયા.
ધન શ્રેષ્ઠી પક્ષ વજસ્વામીનું આવું અલૌકિક સ્વરૂપ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પોતાની દીકરીએ વગર જોયે પણ યોગ્ય પસંદગી જ કરી હતી એમ એમને લાગ્યું. તેઓ મોકવા થઈ ગયા હતા. એટલે વજસ્વામી સાધુ છે એ વાત તેઓ વિસરી ગયા. વજસ્વામીનો વૈરાગ્યવાસિત ઉપદેશ તેમને સ્પર્ધો નહિ. તેમણે પોતાની કન્યા સાથે લગ્ન કરવા માટે વજસ્વામી પાસે પ્રસ્તાવ મૂક્યો અને એ માટે બહુ આગ્રહ કર્યો. પોતે સાથે જ જે ધન લાવ્યા હતા તે સ્વીકારવા માટે કહ્યું અને લગ્ન સમયે બીજું પડ્યું વધારે ધન પોતે આપશે એવી વાત પણ કરી, ગમે તેવો માણસ છેવટે ધનને વશ થઈ જાય છે એવી શ્રેષ્ઠી તરીકે તેમની માન્યતા હતી. વજસ્વામીએ કહ્યું, “ભાઈ, હું તો દીપ્તિ છું.' પંચમહાવ્રતધારી સાધુ છું. એટલે મેં આજીવન બ્રહ્મચર્યવ્રત ધારણ કરેલું છે. પરણવાની વાત તો બાજુ પર રહી, પણ સ્ત્રી માત્રનો સ્પર્શ કે સહવાસ પણ અમારે સાધુઓને વર્જ્ય હોય છે. તમારી કન્યા ખરેખર મારા પ્રત્યે અનુરાગવાળી હોય તો એને સમજાવો કે લગ્ન તો ભવભ્રમણ કરાવનાર છે. એમાંથી છૂટવા માટે દીક્ષા લઈ સંયમ ધારણ કરે.’
ધન શ્રેષ્ઠીએ રુક્મિણીને વાત કરી. એનો જીવ હળુકર્મી હતો.
For Private & Personal Use Only
www.jainelibrary.org