________________
ભાવલિંગનું પ્રાધાન્ય
૧૨૧
કરી છે કે−ર સાધુને કાલદોષથી હોય તો કવચિત્ અતિ અતિ સૂક્ષ્મ એવો સંજવલન કષાયનો ઉદય હોય, આકી તો કષાય હોય જ નહિ, અને જો હોય તો તે સાધુ જ નથી. કારણ કે સર્વંય અતિચારો સંજવલનના ઉદયથી હોય છે, પણ અનંતાબંધી આદિ બાર કષાયના ઉદયથી તો સચોડો વ્રતભંગ થતો હોવાથી મૂલછેદ્ય પ્રાયશ્ચિત્ત લાગે છે, અર્થાત્ સાધુપણું જ મૂલથી નષ્ટ થાય છે. તાત્પર્ય કે લગભગ વીતરાગ જેવી–વીતરાગવત્ દશા જેની હોય તે જ સાધુ છે; અને વીતરાગતા—નિષ્કષાયતા એ જ . સાધુતાની કસોટી વા માપદંડ છે. ’
આમ સ્પષ્ટ શાસ્ત્રસ્થિતિ છતાં અન્ન ખાલજીવોની દૃષ્ટિ તો પ્રાયઃ લિંગ-આદ્ય વેષ પ્રત્યે હોય છે, એટલે તે તો મુગ્ધ હોઈ ભોળવાઈ જઈ વેષમાં જ સાધુપણું ક૨ે છે, અને બાહ્યત્યાગી—સાધુવેષધારી પણ આત્મજ્ઞાનથી રહિત એવાઓને ગુરુ કરીને થાપે છે, અથવા આ તો અમારા કુલ સંપ્રદાયના આચાર્ય છે, અમારા મા'રાજ છે, એવા મમત્વ ભાવથી પ્રેરાઈને પોતાના કુલગુરુનું મમત્વ-અભિમાન રાખે છે, પણ ભાવયોગી એવા ભાવાચાર્ય, ભાવઉપાધ્યાય, ભાવસાનું જ મુખ્યપણે માન્યપણું શાસ્ત્રમાં કહ્યું છે, તે લક્ષમાં રાખતા નથી; તેમ જ બાહ્ય ગ્રંથભાગ માત્રથી ખાઘલિંગ સુંદર છે એમ નથી. કારણ કે કંચુક માત્ર ત્યાગથી ભુજંગ નિર્વિષ બનતો નથી, એ વસ્તુસ્થિતિનો પણ વિચાર કરતા નથી.
માલજીવોની દ્રવ્યલિંગપ્રધાન દૃષ્ટિ
((
'बालः पश्यति लिङ्ग, मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयत्नेन ||
बाह्यं लिङ्गमसारं, तत्प्रतिबद्धा न धर्मनिष्पत्तिः । धारयति कार्यवशतो यस्माच्च विडम्बकोऽप्येतत् ॥ बाह्यग्रन्थत्यागान्न चारु नन्वत्र तदितरस्यापि । कञ्चुकमात्रत्यागान्न हि भुजगो निर्विषो भवति ॥ "
• શ્રીહરિભદ્રસૂરિષ્કૃત ષોડશક “ ફૂટ લિંગ જિમ પ્રગટ વિડંબક, જાણી નમતાં દોષ;
નિધ્વંસ જાણીને નમતાં, તિમ જ કહ્યો તસ પોષ...રે જિનજી ! ” શ્રી યશોવિજયજીકૃત સા. ત્ર. ગાથાસ્તવન
પણ પ્રાન જન તો આગમતત્ત્વનો વિચાર કરે છે; અર્થાત્ આગમાનુસાર, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે યથાસૂત્ર આચરણુરૂપ તાત્ત્વિક સાધુત્વ છે કે કેમ તેની સમીક્ષા કરે છે, અને જેનામાં યથોક્ત આદર્શ નિગ્રંથ શ્રમપણું દશ્ય થાય તેનો જ સાચા સાધુપણે સ્વીકાર કરે છે. કારણ તે વિચારે છે કે - સમ્યગ્ દર્શન—–જ્ઞાન–ચારિત્રમય શુદ્ધ મોક્ષમાર્ગની જે નિરંતર નિર્મળ સાધના કરતો હોય તે જ સાચો સાધુ છે, બાકી તો વેષધારી છે; જે શુદ્ધ આત્મસ્વરૂપને જાણતો હોય, અનુભવતો હોય, જે આત્મારામી હોય તે જ ભાવમુનિ છે, બાકી તો નામમુનિ છે; જે દેહયાત્રા માત્ર નિર્દોષ વૃત્તિ કરી અપ્રમાદપણે નિગ્રંથ જીવન પાળે છે તે જ ભિક્ષુ છે, ખાકી તો પૌરુષની—ખલહરણી
Jain Education International
સાચા સાધુ, ભાવ મુનિ, ભિક્ષુ, યતિ, શ્રમણ કોણ ?
२. " चरिमाण वि तह णेयं संजलणकसाय संगमं चेव । माइट्ठाण पाय असई पि हु कालदोसेण ॥ सव्वैविय अइयारा संजलणाणं तु उदयओ होंति । मूलअं पुण होइ बारसण्डं कसायाणं ॥ "
શ્રી હરિભદ્રસૂરિષ્કૃત પંચાશક
For Private & Personal Use Only
www.jainelibrary.org