SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતનું પ્રથમ ઇતિહાસકાવ્ય રાક્ષસ કહ્યો છે તે ભિલ્લરાજ બર્બરક તે પછી એક જ સૈકામાં “બાબરો ભૂત” બની જાય છે તે સોમેશ્વર (ઈ. સ. ૧૧૭૯-૧૨૬૨)ની કીર્તિકૌમુદીમાંના નીચેના ઉદ્ધરણ પરથી સ્પષ્ટ થશેઃ "श्मशाने यातुधानेन्द्रं बवा बर्बरकाभिधम् / સિદ્ધરાતિ રાખ્યું છે રાગરારિપુ !" 228. અર્થાત - “બર્બરક નામના સ્મશાનમાંના મોટા ભૂતને બાંધીને તે રાજચન્દ્ર રાજાઓની પંક્તિઓમાં સિદ્ધરાજ' બન્યો.” તામ્રપત્રોમાં સિદ્ધરાજને વર્તનનુ એવું વિશેષણ લગાડાયેલું હોવાથી આ પ્રસંગ બહુ મોટો ગણાતો હોવો જોઈએ. પોતાના વિ. સં. ૧૨૫૬ના ભાદ્રપદ અમાસ વાર મંગળના પાટણના તામ્રપત્રમાં ભીમદેવ બીજે પોતાને “મમિનવસિદ્ધાન” કહેવરાવે છે. આ પછીનાં પણ કેટલાંક તામ્રપત્રોમાં આ બિરુદ મળે છે. આથી સમજાય છે કે માત્ર 50 જ વર્ષમાં જયસિંહ સિદ્ધરાજ ચૌલુક્યવંશનો અનુકરણીય આદર્શ રાજા ગણાવા લાગેલો. આ કાવ્યમાં વર્ણવેલા મૂળરાજના સૈરાષ્ટ્રવિજય તથા તેના જ શાસનકાળ દરમ્યાન ચામુંડરાજના લાટવિજ્યને સ્વદુર્ગાશંકર શાસ્ત્રી કલ્પિત માને છે; પરંતુ સ્વરા ચુ. મોદીએ આનો સચોટ ઉત્તર આપેલો છે. મૂળરાજ પછી ભીમદેવ સુધી કોઈએ સૌરાષ્ટ્ર પર આક્રમણ કર્યાનું કદ મળતું નથી; જ્યારે સોમનાથની ભાવબૃહસ્પતિની પ્રશસ્તિમાં પણ ભીમદેવે સોમનાથનું પથ્થરનું મન્દિર બંધાવ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે, તે આપણે આગળ જોઈ ગયા. તે જ રીતે ચામુંડરાજથી કર્ણદેવ સુધીના કોઈ ગુર્જરેશ્વરે લાટ છત્યાનું સૂચન ક્યાંય મળતું નથી, જ્યારે કર્ણનું વિ. સં. ૧૧૩૧નું નવસારીનું તામ્રપત્ર તેની લાટ પરની સત્તાનું સૂચક છે. આથી આ પ્રસંગોને સત્ય માનવા પડે છે. ઉપર ઉતારેલા સંસ્કૃત દ્વયાશ્રયના છેલ્લા શ્લોકમાં ઋષિઓ ચૌલુક્યચૂડામણિ રાજા કુમારપાલને પૃથ્વીને અનૃણી કરી સ્વકીય સંવત્સર-પ્રવર્તન માટે આદેશ - આશીર્વાદ આપે છે. ત્રિદિશાાવપુષરિતના ૧૦મા પર્વના ૧૨મા સર્ગના ૭૭મા શ્લોકમાં શ્રી મહાવીરસ્વામીના મુખમાં મૂકેલી ભવિષ્યવાણી પણ કહે છે કે: “दायं दायं द्रविणानि विरचय्याऽनृणं जगत् / अङ्कयिष्यति मेदिन्यां स संवत्सरमात्मनः // " અર્થાત –“તે (કુમારપાલ) દ્રવ્ય આપી આપીને જગતને ઋણમુક્ત કરીને પૃથ્વી ઉપર નિજ સંવત્સર આંકશે - પ્રવર્તાવશે.” શ્રી જૈન સત્યપ્રકાશ”ના ૯મા અંકમાં મુનિશ્રી પુણ્યવિજ્યજીએ શત્રુંજયની ચોમુખજીની દૂકના મૂળ મન્દિરના દરવાજાની ડાબી બાજુની એક ધાતુપ્રતિમા ઉપરનો લેખ પ્રકાશિત કરેલો, જેમાં “શ્રી સિદ્ધહેમદાર સં : " આપેલી છે. હેમચન્દ્રાચાર્યના પોતાના “મનજિત્તાનળિ” કોશમાં એક સ્થળે (6. 171) “સંવત્ નો અર્થ સમજાવતાં કહ્યું છે કે ___" यथा विक्रमसंवत् सिद्धहेमकुमारसंवत् " આથી વિશેષ પ્રકાશ આ વિષય પર અદ્યપર્યન્ત પડ્યો નથી, પરંતુ કુમારપાલની નૂતન સંવત્સર પ્રવર્તાવવાની તીવ્ર ઇરછા ફલીભૂત થઈ હશે, જેને પરિણામે સિદ્ધરાજ, હેમચન્દ્રાચાર્ય અને કુમારપાલ એ ત્રણે વિભૂતિઓનાં નામથી અંકિત આ સંવત્સર શરૂ થયો હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.210448
Book TitleGujarat nu Pratham Itihas Kavya
Original Sutra AuthorN/A
AuthorJayant P Thaker
PublisherZ_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Publication Year1956
Total Pages7
LanguageHindi
ClassificationArticle & Kavya
File Size660 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy