SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ માર) બીજું પણ નાખવામાં આવે તે તે પણ સમાવિષ્ટ થઈ જાય छ. (एवं पक्खिप्पमाणेणं पक्खिप्पमाणेणं हो ही से वि आमलए जंसि पक्खित्ते રે મરે મિિાહિ) આ પ્રમાણે આમળાને નાખતાં નાખતાં છેલે એક એવું પણ આમળું હોય છે કે જેને નાખવાથી તે મંચ પરિપૂર્ણ થઈ જાય છે. પછી તેમાં બીજું આમળું નાખવામાં આવે તે માય નહિ કેમ કે સચ પહેલેથી જ શિખર સુધી પરિપૂર્ણ થઈ ગયેલ હોય છે. આ પ્રમાણે આમૂલ શિખ સંપરિત હોવાથી જેમ તેમાં અન્ય આમલકને સમાવેશ થાય નહીં, આ પ્રમાણે વારંવાર નાખવામાં આવેલી અપર અપર શલાકાઓથી જ્યારે અસલપ્ય-તે ઘણા પલ્યો અંતમાં આમૂલશિખ પરિત થઈ જાય છે. તે પછી તેમાં એક સર્ષ૫ જેટલી પણ જગ્યા રહેતી નથી. ત્યારે તે સ્થિતિમાં ઉત્કૃષ્ટ સંખ્યાતનું સ્થાન પ્રારંભ થાય છે. અહીં સૂત્રકારે અનવસ્થિત પડ્યાતિરિક્ત એક શલાકાપલ્ય કહેલ છે, તેથી એ વાત સ્પષ્ટ જણાઈ આવે છે કે સિદ્ધાન્તકારો બુદ્વીપ પ્રમાણ તુલ્ય બીજા ત્રણ પ વધારાના માને છે. તેમના નામ-(૧) શલાકા પલ્ય, (૨) પ્રતિશલાકા પલ્ય અને (૩) મહાશલાકાપલ્ય છે. એમનાંમાંથી દરેકની લંબાઈ, પહોળાઈ એક લાખ એજન જેટલી અને ઊંડાણુ ૧ હજાર યોજન જેટલું છે. આ વાત પહેલાં સ્પષ્ટ કરવામાં આવી જ છે કે જયારે અનવસ્થિત પલ્ય આમૂલચૂલ સંપૂરિત થઈ જાય છે, ત્યારે શલાકાપલ્યમાં એક શલાકા પ્રક્ષિપ્ત કરવામાં આવે છે ત્યાર પછી ફરી અનવસ્થિત પત્યના સર્ષ લઈને કમશ એક એક કરીને એક એક દ્વીપ અને સમુદ્રમાં નાખવા જોઈએ, નાંખતા નાખતા જ્યારે તે સમાપ્ત થઈ જાય, ત્યાં સુધીનું ક્ષેત્ર પર્વોક્ત તે અનવસ્થિત પત્યની સાથે બૃહત્તર અનવસ્થિત પત્ય હોય છે. ત્યારે બીજી શલાકા તે શલ કા ૫૯ માં પ્રાક્ષિપ્ત કરવામાં આવે છે, આમાં પણ અનવસ્થિત પત્યના સર્ષ એક એક કરીને દ્વીપ સમુદ્રમાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત કરતાં કરતાં જ્યારે તે અંતમાં પૂરા થઈ જાય છે, ત્યારે શલાકાપત્યમાં ત્રીજી શલાકા પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ વખતે જે અનવસ્થિત પલ્ય ઉત્પન્ન થાય છે, તેને ગૃહત્તમ અનવસ્થિત પત્ય કહેવામાં આવે છે. આ પલ્યને તે અનવસ્થિત પદય કહેવામાં આવેલ છે તેનું કારણ આ પ્રમાણે છે કે આ પલ્ય બૃહત્તર, બૃહત્તમ વગેરે. રૂપમાં પરિવર્તિત થતું જ રહે છે. એથી એક રૂપમાં આનું અવસ્થાન રહેતું નથી. આ પ્રમાણે જેમ જેમ આ અનવસ્થિત પત્ય બૃહત્તર વગેરે રૂપમાં વૃદ્ધિગત થતું જાય છે, તેમ તેમ વચ્ચે વચ્ચે શલાકા૫ત્યમાં એક એક શલાકાનું પ્રક્ષેપણ થતું રહે છે. આ રીતે જ્યારે તેમાં એક પણ શલાકા સમાઈ શકે તેટલું સ્થાન રિક્ત રહેતું નથી ત્યારે તે અનવસ્થિત પલયમાંથી સર્ષ૫ ખાલી કરવામાં આવતા નથી, તે તે સંપુરિત જ રહે છે. પરંતુ જે શલાકાપત્ય છે, તે રિક્ત કરવામાં આવે છે. આ શલાકાપત્યમાંથી સર્ષપને ખાલી કરી નાખવા જોઈએ; અને તેમને એક अ०८३ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૦૮
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy