SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યો છું. આમ વિચાર કરીએ તે હજી પ્રસ્થક પર્યાય સન્નિહિતનથી ફક્ત તે માણસના મનમાં તે વિષે સંકલ્પ માત્ર સ્કુરિત થયેલ છે. પરંતુ પછયા પછી તે માણસે તેને જવાબ આપે, તે નિષ્પન્ન થયેલ પ્રસ્થકને માની ને જ આપ્યો છે. આ તેને અભિપ્રાય અવિશુદ્ધ નૈગમનયની માન્યતાનુસાર છે. નગમનયના અવિશુદ્ધ, વિશુદ્ધ, વિશુદ્ધતર જેવા ઘણા ભેદ છે. આ અભિપ્રાયને અવિશુદ્ધ એટલા માટે કહેવામાં આવેલ છે કે “હજી પ્રશ્યક પર્યાય કોઈપણ અંશરૂપમાં ઉદ્દભૂત થયેલ નથી. જે વસ્તુને જાણવાના ઘણુ અભિપ્રાય જે નયના હોય તે નયનું નામ નૈગમનાય છે. અનૈ મા ચશ્ય જ નૈવામા આ નિગમ શબ્દની વ્યુત્પત્તિ છે. અહીં “કીને લોપ થઈને નૈગમ શબ્દ સિદ્ધ થયેલ છે. જો કે તે પ્રઘક પર્યાયના કારણભૂત કાષ્ઠને ગ્રહણ કરવા જ તે જઈ રહ્યો છે, પરંતુ પ્રશ્નના ઉત્તરમાં તે આ પ્રમાણે જવાબ આપે છે કે હું પ્રથમ લેવા જઈ રહ્યો છું. આનું કારણ આ પ્રમાણે છે કે “નૈગમનય અનેક પ્રકારથી વસ્તુને માને છે, એથી કારણમાં કાર્યને ઉપચાર કરીને તે આ । अ०७२ પ્રમાણે કહે છે અને લેકમાં આ જાતને વ્યવહાર પણ જોવામાં આવે છે. તથા જ્યારે તે કાષ્ઠને પ્રસ્થક માટે કાપવા લાગ્યો અને પૂછયા પછી તેણે પ્રસ્થક કાપી રહ્યો છું.' આ જાતને જવાબ આપે, તે આ જાતને જવાબ પણ નૈગમનય મુજબ બરાબર જ છે. અહીં પણ તેણે કારણમાં કાર્યને ઉપચાર કર્યો છે. અહી જે નિગમનયને “વિશુદ્ધ' કહેવામાં આવેલ છે, તેને ભાવ આ છે કે “કાષ્ઠમાં પ્રસ્થાના પ્રતિ પૂર્વ કથનની અપેક્ષાએ કિંચિત્ આસન્ન કારણુતા છે. પહેલા ઉત્તરમાં તો કાષ્ઠમાં અતિવ્યવહિતતા હેવા બદલ સહેજ પણ આસન કારણુતા નથી, એથી આ ઉત્તરને અવિશદ્ધ કહેવામાં આવેલ છે. આ ઉત્તર પછી બીજા ૫ણુ જેટલા ઉત્તર પ્રચ્છક સંબંધી પ્રકટ કરવામાં આવેલ છે, તેમાં પૂર્વ પૂર્વની અપેક્ષા ઉત્તર ઉત્તરના જવાબમાં આ કારણુથી જ વિશુદ્ધતા જાણવી જોઈએ. આ પ્રમાણે જ્યારે તે પ્રરથક માટે કાષ્ઠને છોલવા લાગે છે અને આ સંબંધમાં પ્રશ્ન કર્યા પછી તેણે આ જાતને જવાબ આપ્યો કે હું પ્રસ્થને છોલી રહ્યો છું ત્યારે આ નયના અભિપ્રાય મુજબ તેનું આ કથન સત્ય માનવામાં આવે છે. અને તેને આ આ જાતને અભિપ્રાય પૂર્વની અપેક્ષા વિશુદ્ધતર હોય છે. આ પ્રમાણે જ્યાં સુધી લોકવ્યવહાર પ્રસિદ્ધ પ્રશ્યક નામની પર્યાય પ્રકટ થઈ ન જાય ત્યાં સુધી ના પહેલાના પ્રસ્થક સંબંધી જેટલા જવાબ હશે, તે બધા આ નયના અન્તર્ગત જ માનવામાં આવશે. વ્યવહારનય લેકવ્યવહારની પ્રધાનતાને લઈને પ્રવતિત હોય છે. એથી જ જ્યારે લેકમાં પૂર્વોક્ત અવસ્થામાં સર્વત્ર પ્રસ્થક વ્યવહાર હોય છે, ત્યારે નિગમની જેમ વ્યવહારનય પણ માને છે. સામાન્ય રૂપથી સમસ્ત વસ્તુને જે ગ્રહણ કરે છે, એ નય સંગ્રહન છે. આ નયન મન્તવ્યાનુસાર જ્યારે પ્રસ્થક ધાન્યાદિક મેય વરતુથી પરિત થશે, ત્યારે જ તે ખરેખર પ્રસ્થ શબ્દ વાગ્યે થશે. નિગમ અને વ્યવહારથી એ બનને ન અવિશુદ્ધ છે, એથી પ્રથકના કારણભૂત જે વૃક્ષાદિકે છે, તેઓ પણ પ્રસ્થાના કાર્યના અકરણુકાળમાં પણું મથક કહેવામાં આવ્યાં છે. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૮૨
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy