SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. અન્ય કોઈપણ સાધુની પાસેથી આ ચારિત્ર ધારણ કરી શકાતું નથી. આ સર્વમાં એક સાધુને કલ્પસ્થિત કહેવામાં આવે છે. આની પાસે જ સમરત સમાચારી કરવામાં આવે છે. ચાર સાધુજને જે તપ કરે છે, તે પરિહારિક કહેવાય છે. અને બીજા ચાર સાધુજને એમની વૈયાવૃત્તિ કરે છે. તેઓ અનુપરિહારિક કહેવાય છે. પરિહારિક સાધુજને આ પ્રમાણે તપસ્યા કરે છે.-ગ્રીષ્મકાળમાં જઘન્ય તપસ્યા એઓ ચતુર્થ ભક્તની કરે છે, મધ્યમ તપસ્યા એમની ષષ્ઠભક્તની અને ઉત્કૃષ્ટ તપસ્યા એમની અષ્ટમભક્તની હોય છે. હેમતતુમાં એઓ જઘન્ય તપસ્યા ષષ્ઠભક્તની, મધ્યમ તપસ્યા અટમભક્તની અને ઉત્કૃષ્ટ તપસ્યા દશમભક્તની કરે છે. વર્ષાકાળમાં જઘન્ય તપયા અષ્ટમભક્તની, મધ્યમ તપસ્યા દશક્તિની અને ઉત્કૃષ્ટ તપસ્યા દ્વાદશ ભક્તની કરે છે. ક૯૫સ્થિત જે એક ક્ષાધુ હોય છે, તે તેમજ ૪ જે અનુપરિહારિક સાધુ હોય છે, એ પાંચે પાંચ ઘણું કરીને નિત્યભેજ હોય છે. એ ઉપવાસ કરતા નથી. એમનું જે ભજન હોય છે, તે આચાર્મ્સ (આયંબિલ) જ હોય છે. બીજી નહિ. આ જાતની ૬ માસ સુધીની પરિહારિક જન તપસ્યા કરીને પછી એઓ અનુપહારિક બની જાય છે, અને જે એ અનુપડારિક હોય છે, તેઓ પરિહારિક બની જાય છે. એમની તપસ્યા પણ ૬ માસની ઉપર લખ્યા મુજબ જ હેય છે, આ પ્રમાણે એએ આઠેઠ સાધુઓ જ્યારે તપસ્યા પૂર્ણ કરે છે. ત્યારે એમનામાંથી એક કલ્પસ્થિત બને છે, અને જે પહેલાં કલ૫સ્થિત થયો હતો તે પરિહારિક થઈને ૬ માસ સુધી તપસ્યા કરે છે. ત્યારે બાકીના સાત તેની પરિચર્યા કરે છે. આ પ્રમાણે ૧૮ માસમાં આ કલ્પપૂર્ણ થાય છે. ક૫પૂર્ણ થતાં જ કાં તે એ ફરી તેજ કહપને ધારણું કરે છે કાં એઓ જિનાલપી થઈ જાય છે, અથવા પિતાના ગરછમાં જઈને ભળી જાય છે. આ ત્રણ માગે છે. આ ચારિત્ર જેમણે છે પસ્થાપન ચારિત્ર અંગીકાર કરેલ હોય છે, તેમને જ હોય છે, બીજાઓને નહિ. આ પ્રમાણે જે જે સાધુ તપસ્યા કરીને અનુપહારિકતાને અથવા ક૫સ્થિત અવસ્થાને અંગીકાર કરે છે, તેમનું પરિહારવિશુદ્ધિ ચારિત્ર નિવિષ્ટકાયિક કહેવાય છે. પરંતુ જેઓ ફક્ત તપસ્યા જ કરે છે, અનુપહારિક અથવા કલ૫સ્થિત અવસ્થા અંગીકાર કરતા નથી તેમનું પરિહારવિશુદ્ધિક ચારિત્ર નિર્વિશ્યમાનક કહેવાય છે. (સુકુનવરામવરિત્તશુળcvમળે ટુરિ જજો રં કgr સંદિ૪િમાળા ચ વિસુ સનાળા થી સૂકમ સં૫રાય ચારિત્ર ગુણ પ્રમાણુ બે પ્રકારનું છે. એક સંકિલશ્યમાનક અને બીજુ વિશુદ્ધમાનક. જીવ જેના લીધે ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે, તેનું નામ સંપરાય છે. એવું આ સં૫રાય ક્રોધાદિ કષાય રૂપ હોય છે. લેભાંશમાત્રના અવશેષથી જ્યાં સંપાય સૂક્ષમ હોય છે, એટલે કે ફક્ત સૂક્ષ્મ લોભ જ રહે છે, તેનું નામ સૂકમ સં૫રાય છે. આ સંકિલશ્યમાનક અને વિશુદ્ધમાનકના ભેદથી અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૭૮
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy