SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર ગુણ પ્રમાણ છે, તે સામાયિક શબ્દથી અભિહિત કરવામાં આવેલ છે. સામાયિક શબ્દનો અર્થ પહેલાં પૃષ્ટ કરવામાં આવેલ છે. (સામાચરિત્તગુqનાળે દુષિદે વણજો, રૂરિઘ ચ શાદિપ ય) આ સામાયિક ચારિત્ર : ઈતરિક અને યાવન્કથિકના રૂપમાં બે પ્રકારનું હોય છે. ત્વરિક સામાયિક : ચારિત્ર મહાવ્રતારોપ્યમાણ હોવા બદલ સ્વલ્પકાલિક હોય છે. પ્રથમ અને અંતિમ તીર્થકરના સમયમાં જ્યાં સુધી શિખે મહાવ્રતનું આરોપણ કરતા નથી ત્યાં સુધી આ ઈ-રિક સામયિક ચારિત્ર હોય છે. તેમજ જીવન પર્યંત જે સામયિક ચારિત્ર હોય છે, તે યાવસ્કથિત હોય છે, આં" યાચકથિત સામાયિક ચારિત્ર ભરત, અરવત ક્ષેત્રોમાં આદિ અને અંતના તીર્થકર સિવાય વચ્ચેના ૨૨ તીર્થકરના સાધુઓમાં અને મહાવિદેહના તીર્થકરોના સાધુઓમાં હોય છે. (છેવો વળવસિTળcકાળે સુચિ પmજે ર ા જે ચારિત્રમાં પૂર્વ પર્યાયનું છેદન કરીને ફરી મહાવ્રતની ઉપસ્થાપના કરવામાં આવે છે, તેનું નામ છે પસ્થાન ચારિત્ર છે. આ ચારિત્ર ભરત એરવત ક્ષેત્રના પ્રથમ તેમજ અતિમ તીર્થંકરના તીર્થમાં જ હોય છે અન્યત્ર નહિ-(ારવારે જ નિgોરે ) આ સાતિચાર અને નિરતિચારના ભેદથી બે પ્રકારનું હોય છે. સાતિચાર છે૫સ્થાપનચારિત્ર તે છે કે જે મૂળ ગુણોના વિઘાતક સાધુઓ માટે પુનઃવતપ્રદાન કરવા રૂપ હોય છે. તેમજ ઈત્વરિક, સામાયિક, ચારિત્રનું પાલન કરનાર શિષ્યને જે ચારિત્ર અપાય છે, તે અથવા એક તીથ કરના તીર્થથી બીજા તીર્થંકરના તીર્થમાં સંક્રમણ કરનારા, જેમકે પાર્શ્વનાથના તીર્થથી મહાવીરના તીર્થમાં જનાકા-સાધુઓને જે ચારિત્ર આપમાં આવે છે, તે નિરતિચર છે પસ્થાપન ચારિત્ર છે. (fણાવશુદ્ધિા .) ત્રીજુ જે પરિહાર વિશુદ્ધિક રૂપ ચારિત્ર ગુણ પ્રમાણુ છે, તે આ પ્રમાણે છે, તપ વિશેષનું નામ પરિહાર છે, આ પરિહારથી જે ચરિત્ર વિશુદ્ધિક હોય છે, તેનું નામ પરિહાર વિશુહિક ચારિત્ર છે. અથવા જે ચારિત્રમાં અનેકણીય વગેરેને પરિત્યાગ વિશેષ શુદ્ધ હોય તે પરિહારવિશુદ્ધિક ચારિત્ર છે. એના નિર્વશ્યમાનક અને નિવિષ્ટકાયિક નામક બે ભેદે હોય છે. સાધુઓ વડે જે ચારિત્ર આસેવનીય હોય છે, તે નિર્વિશ્યમાનક છે. અથવા પરિહાર વિશુદ્ધિનું અનુષ્ઠાન કરનારા મુનિએનું નામ નિર્વિશ્યમાનક છે. એની સાથે ચોગ હોવા બદલ આ ચારિત્રનું નામ પણ નિર્વિશ્યમાનક છે. તપ વિશેષનું અનુષ્ઠાન જેએ કરી ચૂક્યા છે તેઓ નિર્વિકાયિક છે. નિર્વિષ્ટકાયિકજને વડે આસેવિત હોવા બદલ આ પરિહારવિશુદ્ધિકનું નામ પણ નિર્વિષ્ટકાયિક થઈ ગયું છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે. તીર્થંકરની પાસે આ ચારિત્રને શીકારનારા ૯ મનિજનો હોય છે. અથવા જે સાધુએ. પ્રથમ તીર્થંકરની પાસે રહીને આ ચારિત્રની આરાધના કરી છે, તે સાધુની પાસે આ ચારિત્ર ધારણ કરવામાં આવે છે. આ ચારિત્રને ધારણ કરનારા મુનિઓની સંખ્યા ૯ જેટલી અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૭૭
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy