SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પાર પદાર્થોને સામાન્ય રૂપથી જ ગ્રહણ કરે છે અને બીજી ધારા પદાર્થોને, વિશેષરૂપથી ગ્રહણ કરે છે. સામાન્ય રૂપથી પદાર્થોને જાણનારી ધારાનું નામ દર્શન અને વિશેષ રૂપથી જાણનારી ધારાનું નામ જ્ઞાનગુણ છે. ભાવ ચક્ષુઇન્દ્રિયાવરણના પશમથી અને દ્રવ્યેન્દ્રિયના અનુપઘાતથી ચક્ષુ દર્શન લધિવાળા જીવને જે ઘટાદિ પદાર્થોમાં ચક્ષુ વડે સામાન્યાવલોકન થાય છે, તેનું નામ ચક્ષુદર્શન છે. દર્શન જે કે સામાન્યને જ વિષય બનાવે છે, પરંતુ જે સૂત્રકાર “રઘુવંavi વઘુવંનિg seveણtહાઉઘણુ ” આ સૂત્રપાઠ વડે ઘટાદિ વિશેનું કથન કર્યું છે, તે સામાન્ય અને વિશેષમાં કથંચિત્ અભેદ હોવાથી એકાન્તતા વિશેષ-વ્યતિરિત સામાન્યનું ગ્રહણ થતું નથી. એ વાતને સ્પષ્ટ કરવા માટે જે કર્યું છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે “દર્શન જે કે સામાન્ય જ વિષય બનાવે છે, પરંતુ જે તે સામાન્ય વિશેષથી સદંતર ભિન્ન છે, તે તેને વિષય બની શકે જ નહિ. કેમકે વિશેષ રહિત સામાન્ય ખરવિષાણુવત્ છે. એટલા માટે “નિર્ધો વિરોવાળ કા નામુ” વિશેનું સામાન્ય ગ્રહણ ક૨વું જ દર્શન કહેવાય છે. (જવલુરંવમાં બહુરંarળ૪ શામજી ચક્ષને બાદ કરતાં શેષ ચાર, ઇન્દ્રિયો અને મન એચક્ષુ કહેવાય છે. એમનાથી જે પદાર્થોનું સામાન્યજ્ઞાન થાય છે, તે અચકુંદન છે. તે અચક્ષદશમ ભાવચક્ષરિન્દ્રિયાવરણના ક્ષયપશમથી અને દ્રવ્યેન્દ્રિોના અનુપઘાતથી અચક્ષુદશનલબ્ધિ સંપન્ન જીવને ઘટાદિ પદાર્થોના સંલેષ રૂપ સંબંધ થયા પછી જ સંભવે છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે ચક્ષુ ઇન્દ્રિય અપ્રાકારી મનાય છે, તે પદાર્થોની સાથે સંશ્લિષ્ટ થઈને પદાર્થોનું દર્શન કરતી નથી, માટે તે તેનાથી દૂર રહીને જ દૂરસ્થ પિતાના વિષયને જાણે છે. આ વાતને કહેવા માટે ઘટાદિકમાં ચક્ષુદર્શન હેય છે, એવું સૂત્રક પહેલાં કહ્યું છે. હવે અચક્ષુદર્શનમાં આ વાત કહેવામાં આવી રહી છે કે ચક્ષુ સિવાય જે શ્રોત્રાદિક ઈન્દ્રિયો છે, તે પ્રાકારી છે. પદાર્થોની સાથે સંશ્લિષ્ટ થઈને જ પિતાના વિષયને અવબોધ કરે છે. આ વાત સૂત્રકારે “કાચમા' ૫૮ વડે સ્પષ્ટ કરી છે. અન્યત્ર પણ આ પ્રમાણે જ કહ્યું જ છે કે (gટું કુળ કહ્યું, ત્યાર) શ્રેગેન્દ્રિય જ્યારે શબ્દ પૃષ્ટ થાય છે. ત્યારે જ સાંભળે છે, અને ચક્ષુરિન્દ્રિય અપૃષ્ટ થયેલ રૂપને જ જાણે છે. વગેરે. (ગોહિવં બોવિંદળિg સાવ વિરૂદg a pળ સરઘ વહુ) અવષિ. હનાવરણના ક્ષપશમથી જે સમસ્તરૂપી પદાર્થોનું અવધિદર્શન લબ્ધિ સંપન્ન જીવને સામાન્યાવકન થાય છે, તેનું નામ અવધિદર્શન છે. આ અવષિદર્શન સર્વપર્યાયમાં હોતું નથી. કેમકે અવધિદર્શનની વિષયભૂત પર્યાયે ઉત્કૃષ્ટથી એક જ પદાર્થની સંખ્યાત અથવા અસંખ્યાત કહેવામાં આવી છે. અને જઘન્યથી રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ ચાર પર્યાય ત૬ વિષથી અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૭૫
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy