SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારવાચક છે. કપાસ અને કાલા વચ્ચે ભેદ છે. કાલું એક પ્રકારના ફલ રૂપ છે જ્યારે કપાસ તેમાંથી નીકળતી વસ્તુરૂપ છે. આ વાતને સમજાવવાને માટે અહીં આદિ શબ્દ વપરાય છે. અહીં પણ કહેવામાં આવેલ છે. તેથી સમાનાધિકરણતા ઘટિત થવામાં કઈ દોષ રહેતું નથી. (હર્ષ પંવિÉ gonત્ત) કીટજ સૂત્ર પાંચ પ્રકારના કહ્યાં છે. ચતુરિન્દ્રિય જીવવિશેષ (રેશમના કીડા આદિ છો)ને કીટ (કીડા કહે છે. તેની લાળ આદિ માંથી બનેલું જે સૂત્ર હોય છે તેને કીટક સૂત્ર કહે છે (તંગ) કીટ સત્રના પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે (૬ મ", ગણું", M[, t ) (૧) પ (૨) મલય, (૩) અંશુક, (૪) ચીનાંશુક અને (૫) કૃમિરાગ આ પદથી અહીં પટ્ટસત્ર ગ્રહણ થયું છે. આ ઘટ્ટ સત્રની ઉત્પત્તિના વિષયમાં વૃદ્ધ પરમ્પરાની અપેક્ષાએ આ પ્રકારની વાત પ્રચલિત છે-જંગલમાં કઈ એક નકુંજમાં (વૃક્ષ અને લતાઓના સમૂહથી યુકત સ્થાનને નિકુંજ કહે છે) માંસ આદિરૂપ આમિષપુંજ પાથરી દેવામાં આવે છે. ત્યાં તે માંસજેની આસપાસ થાડે થોડે અંતરે નીચી ઊંચી અનેક ખીલીઓ ચેડી દેવામાં આવે છે. અનેક પૂતગીયા (કીડાઓ માંસથી આકર્ષિત થઈને તે ખાવાની ઈચ્છાથી તે માંસપુ જેની ચારે તરફ આવે છે. અને માંસનું ભક્ષણ કરીને તે ખીલાઓની આસપાસ ભમી ભમીને પિતાની લાળ તે ખીલાઓ પર છોડે છે. તે ખલાઓ પર એકત્ર થયેલી લાઇને એકત્ર કરી લઈને લેકે તેમાંથી પસૂત્ર બનાવે છે. મલયદેશમાં ઉત્પન્ન થયેલા સૂત્રને મલયસૂત્ર કહે છે. ચીન દેશની બહારના પ્રદેશોમાં બનેલા સૂત્રને અંશુક કહે છે. ચીન દેશની અંદરના ભાગોમાં બનેલા સત્રને ચીનાશક કહે છે. કૃમિરાગસૂત્ર વિશે આ પ્રકારની માન્યતા પ્રચલિત છે કોઈ મનુષ્ય આદિના રકતને એકત્ર કરીને કેાઈ એક પાત્રમાં જમાવી દે છે. ત્યાર બાદ તે પાત્ર પર છિદ્રાળું આછાદન ઢાંકી દે છે. તેમાં ધીરે ધીરે કીટરાશિ ઉત્પન્ન થઈ જાય છે. તે હવા ખાવાની ઈચ્છાથી તે સછિદ્ર આછાનમાંથી બહાર નીકળીને તે પાત્રની આસપાસ ભમવા માંડે છે અને તે પાત્ર પર પિતાની લાળ છોડયા કરે છે. તે લાળને લેકે એકત્ર કરી લે છે, અને તેમાંથી જે સૂત્ર બનાવવામાં આવે છે તેને કૃમિરાગસૂત્ર કહે છે. લાલવણુંવાળા કૃમીઓમાંથી ઉત્પન્ન થવાને કારણે તેના રંગમાં સ્વાભાવિક રતાશને સદૂભાવ હોય છે. | (જાઉં પંÉિ qત્ત) ઘેટાં આદિના વાળમાંથી ઉત્પન્ન થયેલા સૂત્રનું નામ “બાલજસૂત્ર’ છે. તેને પણ પાંચ પ્રકાર છે (દંગલ) જેમ કે પાણ) () ઓણિક-ઘેટાં આદિના વાળમાંથી બનેલા સુત્રને ઔણિક (ઉનનું બનેલુ) સુત્ર કહે દિ જો (૨) ઔટિક ઊના વાળમાંથી ઉત્પન્ન થયેલા સૂત્રને “ટ્રિકસૂત્ર' કહે છે (મિઘઢોમિણ) મૃગના વાળમાંથી બનાવેલા સુત્રને “મૃગલોમિકસૂત્ર' કહે છે. શત) (૪) ઉંદરની રંવાટીમાંથી બનાવેલા સુત્રને કોતવ સત્ર કહે છે. (વિષ્ટિ ) (૧) આરણિક આદિ સૂત્રનું નિર્માણ કરતી વખતે જે વાળ ઉડીને આમતેમ જઈ પડયાં હોય છે તે વાળને “ કિસ” કહે છે. કિટ્ટિસમાંથી (વેસ્ટમાંથી જે સત્ર બના અનુયોગ દ્વાર સુત્રમ
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy