SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આ ત્રણે ન માને છે–અર્થની પ્રધાનતા માનતા નથી. આ નાની એવી માન્યતા છે કે દ્રવ્ય અને પર્યાયના સંબંધમાં જેટલા વિચારો હોય છે. તે વિચારોનું વગી. કરણ ઉપર્યુકત ચાર નયમાં જ થઈ જાય છે. જેમનું વર્ગીકરણ સ્વતંત્ર નય દ્વારા કરી શકાય એ કોઈ વિચાર જ બાકી રહે નથી. છતાં પણ વિચારોને પ્રકટ કરનાર અને ઈષ્ટ પદાર્થોનું જ્ઞાન કરાવનાર મુખ્ય સાધન શબ્દ છે. તેથી તેની શબ્દની) પ્રધાનતાની અપેક્ષાએ જેટલા વિચારો કરવામાં આવે છે તેટલા વિચારોને આ ત્રણ નાની કટિમાં જ મૂકી શકાય છે. તે ન એ બતાવે છે કે હજી સુધી શબ્દ પ્રયોગની વિવિધતા હોવા છતાં પણ અર્થમાં ભેદને સ્વીકાર કરવામાં આવ્યું નથી પરન્તુ જયાં શબદ નહઠ તારતમ્ય છે. તેના અનુસાર અર્થભેદ પણ અવશ્ય છે જ. તેથી તેઓ કહે છે કે “એવી વાત કેવી રીતે સંભવી શકે કે જે આવશ્યકશાસ્ત્રને જ્ઞાતા છે. તે તેમાં અનુપયુકત છે, કારણકે જ્ઞાતા હોવા છતાં પણ અનુપયુકત હોય અને અનુપયુક્ત હોવા છતાં પણ જ્ઞાતા હોય એ વાત જ અસંભવિત હોય છે. જ્ઞાતા હોય તે તે તેમાં ઉપયુક્ત (ઉપયોગ સંપન્ન) હોય. અને અનુપયુકત હોય તે તેને જ્ઞાતા જ ન હોય એ વાત જ સંભવી શકે છે. તેથી આવશ્યકશાસ્ત્રના અનુ યુકત જ્ઞાતાની અને પેિક્ષાએ જે આગમ વ્યાવશ્યકની પ્રરૂપણ કરી છે. એ પ્રવિણાને આ શબ્દાદિ ત્રણ પ્રકારના યે રવીકાર કરતા નથી. કારણ કે જ્ઞાતા અને અનુપયુકતતાને સમન્વય જ સંભવી શકતો નથી. અનુપયુકતાની સ્થિતિમાં તે આવશ્યકશાસ્ત્રને જ્ઞાતા જ સંભવી શકતું નથી. (જ્ઞ તા” એટલે “તેના સંબંધી જ્ઞાન ધરાવનારે.” આ પ્રકારનો અર્થ સમજવો) જે તે જ્ઞાતા હોય એટલે કે તે વિષયના જ્ઞાનથી સંપન્ન હોય. તે તેનું તાત્પર્ય એજ છે કે તે જ્ઞાનના ઉપયોગવાળે (ઉપયુકત) છે. કારણ કે જ્ઞાન પોતે જ ઉપયોગરૂપ હોય છે આ ત્રણે નય શુદ્ધ નયને આધારે વસ્તુને સ્વીકાર કરે છે. તેથી એવું જે કહેવામાં આવ્યું છે કે “આગમનાં કારણરૂપ હોવાથી આત્મા તદધિઠિત દેહ અને શબ્દ એ આગમરૂપ છે.” આ કથન પણું ઓપચારિક કથન જ છે. કારણ કે તેમને આગમરૂપ માનવામાં આવતા નથી. તેથી આ ત્રણે નયેની માન્યતા અનુસાર આગમદ્રવ્યાવશ્યક સંભવિત જ નથી. આ રીતે પૂર્વપ્રકાન્ત આગમન દ્વવ્યાવશ્યકનું સ્વરૂપ આ પ્રકારનું કહ્યું છે. અનુયોગ દ્વાર સુત્રમ ૪૦
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy