SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ બની જાય છે અને અનર્થકારક પણ બની શકે છે, તે પછી પરમ મંત્રરૂપ સૂત્રની તે વાત જ શી કરવી ? હીનાક્ષર સૂત્રના ઉચ્ચારણને લીધે પરમ કલ્યાણકારક મેક્ષ રૂપ ફળની પ્રાપ્તિ પણ થતી નથી એટલું જ નહીં પણ અનંત સંસારની પ્રાપ્તિરૂપ અન પણ પ્રગટ થાય છે આ વિષયને અનુલક્ષીને નીચેનું દષ્ટાંત આપવામાં આવ્યું છે. કઈ એક સમયે રાજગૃહ નગરના ઉધાનમાં મહાવીર પ્રભુનું સમવસરણ થયું પ્રભુને વંદણ કરવા નિમિત્ત દેવ, સુર, વિદ્યાધર અને મનુષ્યને સમુદાય આવી પહોંચે. પિતાના પુત્ર અભયકુમારને સાથે લઈને મહારાજા શ્રેણિક પણ આવી પહોંચ્યા ભગવાને ત્યાં એકત્ર થયેલી પરિપદાને ધર્મની દેશના દીધી. ભગવાનની દેશના સાંભળીને અને ભગવાનને વંદણા કરીને સૌ પોતપોતાને રથાને પાછા ફર્યા. પરંતુ રાજ શ્રેણિક ત્યાંથી ખસ્યા નહીં. તે પિતાના પુત્રની સાથે ભગવાનની પણું પાસનામાં તલીન થઈને ત્યાંજ બેસી રહ્યો. હવે આ વખતે નીચનો બનાવ બન્યો. સમવસરણમાંથી પાછા ફરતે કેઈ એક વિદ્યાધર આકાશમાર્ગો ઉડવા માગતો હતો પણ આકાશમાં ઉડવા માટે જે મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ તે મંત્રને એક અક્ષર તે ભૂલી ગથે હતે. તે આકાશમાં ઉડે તે ખરે પણ થોડે દૂર જઈને નીચે પડી ગયાં. વળી ફરીથી ઉડે, પરંતુ થોડે દૂર જઈને ફરી નીચે પડી ગયે. આ પ્રમાણે વારંવાર ઉડતાં અને પઠતાં તે વિદ્યાધરને અભયકુમારે છે. તેનું કારણ જાણવાની તેને ઇચ્છા થઈ તેણે મહાવીર પ્રભુને વંદણ નામરકાર કરીને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“હે ભગવન્! તટેલી પાંખવાળા પક્ષીની જેમ આ વિદ્યાધર વારંવાર આકામાં છે છે અને નીચે પડી જાય છે. તેનું કારણ શું હશે ? ત્યારે મહાવીર પ્રભુએ અભયકુમારને આ પ્રમાણે જવાબ આપે-હે અભયકુમાર જે તે વિદ્યાધર પિતાની આકાશગામિની વિદ્યાને એક અક્ષર ભૂલી ગયા છે. તે કારણે ઉડવાનો પ્રયત્ન કરવા છતાં પણ તે તેમાં સફળ થતો નથી. ભગવાનનાં એવાં વચને સાંભળીને અભયકુમારે તુરત જ તે વિદ્યાધરની પાસે પહોંચી ગયું. તેણે તે વિદ્યાધરને કહ્યું-“હે મહાભાગ ! જે તમે મને વિવા સાધવાને ઉપાય બતાવે, તે હું તમને આકાશગામિની વિઘાના મંત્રને વિસ્કૃત થઈ ગયેલો એક અક્ષર બતાવી દઉં વિઘાધરે અર્જયકુમારની તે વાતને સ્વીકાર કર્યો. અભયકુમાર પાસે “ક્ષનિપાતી’ વિદ્યા હોવાથી તેમાં એવી શકિત હતી કે તે એકાદ પદને શ્રવણ કરીને પણ અનેક પદને વિચાર કરી શકતા હતા. આ શક્તિના પ્રભાવથી વિદ્યાધર કથિત મંત્રને સાંભળીને વિકૃત અક્ષર તેણે તે વિદ્યાધરને બતાવી દીધું. વિદ્યારે પણ અભય કુમારને વિદ્યા સાધવાના ઉપાય બતાવી દીધા. આ પ્રકારે મંત્રના વિરમૃત અક્ષરને જાણી લઈને તે વિધાધર પોતાને યથેષ્ટ સ્થાને ચાલ્યો ગયો. આ દષ્ટાન્ત દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે-જેમ તે વિદ્યાધર પિતાની આકાશગામિની વિદ્યાને એક અક્ષર ભૂલી જવાને કારણે તેની વિદ્યા હીનાક્ષરતાના દેષથી દૂષિત થવાને લીધે તેને નગતિ કરાવવાને અસમર્થ બની ગઈ, એજ પ્રમાણે હીનાક્ષર કરીને સૂત્રનું ઉચ્ચારણ કરવામાં આવે તે અથ માં ભેદ પડી જાય છે. અર્થમાં ભેદ પડી જવાને કારણે ક્રિયામાં પણ ભેદ પડી જાય છે અને ક્રિયામાં ભેદ પડી જવાને લીધે મોક્ષની પ્રાપ્તિ પણ થઈ શકતી નથી. તે કારણે દીક્ષા ગ્રહણ આંદ કાર્ય પણ વ્યર્થ બની જાય છે. એ જ પ્રમાણે સુત્રમાં અક્ષરાને ઉમેરીને સત્રનું અનુયોગ દ્વાર સુત્રમ ૩૫
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy