SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ આવાને નામનિક્ષેપ સિદ્ધ થઈ જાય છે. જીવ ચ.જીવ, એ બન્નેમાં “અ વાસ આ ના નિક્ષેપ આ પ્રમાણે સિદ્ધ કરી શકાય છે. જે રાજમહેલને પ્રદેશ જળાશય, ઉદ્યાન અને જળયંત્ર (નળ) આદિથી યુકત હોય છે, તેને “વાજા આદિનું આવાસથાન છે,” એ રૂપે કહેવામાં આવે છે, ત્યાં જે ઉધાન, જઇ શય અને સચેતન રાદિક વસ્તુ છે, તે તે સચિત્ત દ્રવ્યરૂપ જ છે, અને ઇંટની દીવાલે, અને ચેતન રત્નાદિક વગેરે જે વસ્તુઓ છે, તે અચિત્તદ્રવ્યરૂપ હોવાથી અજીવ છે, એ બનેથી જેનું નિર્માણ થયું છે. એવા તે મહેલ આદિના પ્રદેશનું નામ આવાસરૂપ હોવાને કારણે “આવાસક”નું નિક્ષેપ બને છે. એ જ પ્રમાણે જીવાવમાં પણ “અમે વાસક” ના નિક્ષેપ આ પ્રમાણે ઘટાવી શકાય છે. રાજપ્રાસાદથી યુકત સમસ્ત નગર “રાજદિન આવાસ છે.” આ રૂપે વ્યવહારમાં કહેવામાં આવે છે. તથા સૌધર્મ આદિ સમસ્ત કલપન ઈન્દ્રાદિના આવાસ રૂપ કહેવામાં આવે છે એ રીતે સંમિલિત અનેક અછ અને છનું “આવાસક સ્થાપનાવશ્યક સ્વરૂપ કા નિરુપણ એવું નામ સિદ્ધ થઈ જાય છે. રાજપ્રાસાદ, નગર એને સૌધર્મકલ્પ આદિની અપેક્ષાએ જીવ અને અજી નાના હેવાને કારણે તે બન્નેને અહીં અછવરૂપ એક શબ્દથી જ પ્રતિપાદિત કરવામાં આવેલ છે. તથા રાજમહેલ કરતાં નગર સાધર્માદિ ક વિશાળ હેવાને કારણે અનેક જીવ અને અજીવરૂપે વિવક્ષિત થયેલ છે. આ રીતે જીવ. અજીવ અને ઉભયમાં એકત્વ અનેકત્વના આ વિચાર વિવક્ષાને અધીન રહીને થયેલે સમજ. એજ પ્રકારે અન્યત્ર પણ જીવાદિકનું “આવાસક નામ યથા સંભવ સમજી લેવું જોઇએ. અહીં આ જે સમજૂતી આપવામાં આવી છે. તે તે બહુ જ સંક્ષિપ્તમાં આપવામાં આવી છે. આ પ્રકારની આ નામ આવશ્યકની પ્રરૂપણું સમજવી. સૂત્રકારે અહીં નામ આવશ્યકનું સ્વરૂપ છવ અજીવ આદિ પદાર્થોના એકત્વ અનેકવની અપેક્ષાએ સમજાવ્યું છે. આ બાબતમાં પહેલાં તે એ સમજી લેવું જોઇએ કે પ્રત્યેક શબ્દને અર્થે રાાર પ્રકાર હોય છે. તે ચાર પ્રકાર નીચે પ્રમાણે છે. (૧) નામરૂપ (૨) સ્થાપનારૂપ, (૩) દ્રવ્યરૂપ અને (૪) ભાવરૂપ શાસ્ત્રોની પરિભાષામાં તેને નામનિક્ષેપ કહેવામાં આવે છે. નિક્ષેપ એટલે નામ રાખવું અથવા ન્યાસ (વિભાગ) કરવો તેનું નામ નિક્ષેપ છે. જેમાં વ્યુત્પત્તિની પ્રધાનતા હોતી નથી પણ જે માતા, પિતા અથવા અન્ય લેના સંકેતને આધાર લઈને જાણી શકાય છે, એવું નામનિક્ષેપનું સ્વરૂપ અથવા એ નામનિક્ષેપને વિષય છે. જેમકે કોઈ વ્યક્તિમાં મહાવીર જેવાં ગુણોને અભાવ હોવા છતાં પણ વ્યવહાર ચલાવવાને નિમિત્તે તેના માતા, પિતા આદિ લોકો તેનું નામ મહાવીર રાખી લે છે જે વસ્તુ અસલી વસ્તુના સમાન આકારવાળી છે, તે સ્થાપના નિક્ષેપનો વિષય છે. જેમકે જમ્બુદ્વીપને નકશે, અઢીદ્વિીપનો નકશે, વૃક્ષ મહેલ આદિના ચિત્ર, આ બધા સ્થાપના નિક્ષેપના ઉદાહરણ છે. જે પદાર્થ ભાવને પૂર્વરૂપ કે ઉત્તરરૂપ હોય. તે દ્રવ્યનિક્ષેપને વિષય છે. જેમકે જે અત્યારે શ્રાવપુત્ર છે તે ભવિષ્યમાં શ્રાવક બનશે માટે તેને શ્રાવક કહે જોઈએ. આનું નામ દ્રવ્ય નિક્ષેપ છે. જે શબ્દના અર્થમાં શબ્દની વ્યુત્પત્તિ અથવા પ્રવૃત્તિનું નિમિત્ત વર્તમાનમાં બરાબર ઘટીવી શકાતાં હેય. તે ભાવનિક્ષેપને વિષય છે જેમકે વર્તમાન સમયે મહાવીરતાનું કાર્ય કરનારને મહાવીર કહે, તે ભાવરૂપ નિક્ષેપ થયો ગણાય. અનુયોગ દ્વાર સુત્રમ ૨૫
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy