SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જાણતા ન હોય, તે વસ્તુમાં પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ નિક્ષેપના ચાર ભેદનું નિરૂપણ તે તેમણે કરવું જ જોઈએ. ભાવાર્થ-જ્યાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ આરિરૂપ નિલેપ જાણી શકાય એમ હોય ત્યાં આ સમસ્ત ભેદની અપેક્ષાએ વસ્તુને નિક્ષેપ થાય છે. પરન્તુ જ્યાં આ બધાં ભેદ જાણી શકાતા ન હોય ત્યાં પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, આ ચાર વસ્તુને નિક્ષેપ તે કરવો જ જોઈએ, કારણ કે નામાદિક ચારે વસ્તુઓ તે સર્વવ્યાપક છે. એવી કઈ પણ વસ્તુ નથી કે જેમાં નામાદિ ચતુષ્ટયને સદભાવ ન હોય. લેકમાં અથવા આગમમાં જેટલા શબ્દોને વ્યવહાર થાય છે તે ક્યાં કંઈ દૃષ્ટિએ કરવામાં આવતું હોય છે, આ સમસ્યાને હલ કરવાનું જ નિક્ષેપ-વ્યવસ્થાનું કામ છે. એક જ શબ્દના પ્રયજન અનુસાર અનેક અર્થ થતા હોય છે, તે અર્થ આવશ્યક નિક્ષેપકા નિરુપણ જ તે શબ્દના ન્યાસ, નિક્ષેપ અથવા વિભાગરૂપ છે. જે નિક્ષતા (નિક્ષેપ કરનાર ગુ) શબ્દનો અર્થ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ આદિ રૂપે જાતે હોય, તે તેનું એ કર્તવ્ય થઈ પડે છે કે તેણે શબ્દનો અર્થ સમજાવતી વખતે આ બધાં વાસો (વિભાગ)નું વિશ્લેષણુકરવું જોઈએ. જે નિક્ષેતા એ બધાં ભેદથી પરિચિત ન હોય તે તેણે શબ્દાર્થનું નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપે તે અવશ્ય વિશ્લેષણ કરવું જ જોઈએ, કારણ કે એ કઈ પદાર્થ નથી કે જેમાં નામ આદિ ઉપર્યુકત ચાર નિક્ષેપોને સદ્દભાવ જ ન હોય પ્રત્યેક પદાર્થ ઓછામાં ઓછા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ તે અવશ્ય હોય જ છે. આ નિક્ષેપમાંથી વક્તા કયા નિક્ષેપરૂપ અર્થનું પ્રતિપાદન કરી રહ્યો છે એ વાત સરળતાથી સમજાઈ જાય છે. તેના દ્વારા પ્રકૃત અર્થને બંધ અને અપ્રકૃત અર્થનું નિરાકરણ થવારૂ૫ ફળ શ્રેતાને પ્રાપ્ત થઈ જાય છે. . ૮ હવે સુત્રકાર પિતાની પ્રતિજ્ઞા અનુસાર “આવશ્યક” આ શબ્દને શે નિક્ષપાર્થ છે, તે પ્રકટ કરે છે, કારણ કે તેમણે હમણાં જ (પર્વ સૂત્રમા) એવું વચન આપ્યું છે કે “હું આવશ્યક, શ્રત, કન્ય અને અધ્યયનેને નિક્ષેપ કરીશ.” “ લિંક તેં ” ઈત્યાદિ– શબ્દાર્થ—( f તે ગાવાં ?) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે “હે ભગવન ! પૂર્વોક્ત આવશ્યકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર--(લાવયં વાલ્વેિદં ) આવશ્યક ચાર પ્રકારના કહ્યા છે, (સં ) એ ચાર પ્રકારો નીચે પ્રમાણે છે--તનામાવતાં, ઢાળવરસવું, વ્યાવાસ, મવિવસ) (૧) નામ આવશ્યક, (૨) સ્થાપના આવશ્યક, (૩) દ્રવ્ય આવશ્યક અને (૪) ભાવ આવશ્યક. બાથ”શબ્દનો પ્રયોગ મંગળ, અનન્તર, આરંભ, પ્રશ્ન, અને કાર્ચ, આટલા અર્થમાં થાય છે. અહીં તેને પ્રયોગ વાક્યના ઉપન્યાસમાં થયેલ છે. (“જિં?) આ પદ પ્રશ્ન પૂછવા નિમિત્તે વપરાયું હોવાથી પ્રશ્નાથેનું વાચક છે. જે અવશ્ય કરવા ગ્ય હોય છે તેને આવશ્યક કહે છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘને સવારે અને સાંજે (સાયંકાળે અવશ્ય કર્તવ્ય (કરવા ગ્ય) અમુક જે કાર્યો છે તેને આવશ્યક કહે છે. અથવા અવશ્ય શબ્દને આ પ્રમાણે પણ અર્થ થાય છે—અચલ, અરુજ, અક્ષય, અવ્યાબાધ અનુયોગ દ્વાર સુત્રમ
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy