SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ “દલ્સા વિરપંg” ઈત્યાદિ જે બહુશ્રત–(શાસોને સતા) હોય, ચિરકાલ ને દીક્ષિત હય, ગીતાર્થ હેય, ચંચલતાથી રહિત હોય, સાધુની મર્યાદાનું દઢતાપૂર્વક પાલન કરનાર હાય, બુદ્ધિશાળી હોય, પરીષહે, ઉપસર્ગો અને અન્યતીથિક- થી જે અપરિભૂત (પરાસ્ત ન થાય એવો) હોય, વિદ્વાન હોય-એટલે કે અનેક શાસ ના અભ્યાસથી જેની બુદ્ધિ નિર્મળ થયેલી હોય, અનુયોગને પાત્ર હોય. ગુરૂએ જેને અનુગનું શ્રવણ કરવાની અનુજ્ઞા આપી હોય, અને જે ભાવની અપેક્ષાએ પરિણામયુકત હોય. એવા મહાભાગ મુનિને જ અનુયેગનું શ્રવણ કરવાને પાત્ર માનવામાં આવે છે. ગુરૂએ અનુગ શ્રવણ કરનારી પરિષદ કેવી હેવી જોઈએ તે પણ શિવને સમજાવવું જોઈએ. તેમણે તેને એ વાત સમજાવવી જોઈએ કે અનુયાગનું શ્રવણ કરનારી પરિષદમાં પરિષદમાં આ આ પ્રકારની વેચતા પ્રક હોવી જોઈએ-પરિષદના સામાન્ય રીતે ત્રણ પ્રકાર કહ્યા છે, તે પ્રકાર નીચે પ્રમાણે છે–૧, જ્ઞાયક પરિપદ, ૨, અજ્ઞાયક પરિષદ અને ૩. દુવિશ્વિક પરિષદ આ વાત “ગાણિar” ઈત્યાદિ ગાથા દ્વારા પ્રકટ કરવામાં આવી છે. જ્ઞાયક પરિષદનું સ્વરૂપ આ પ્રકારનું હોય છે “લોકવિતor” ઈત્યાદિ–જે પરિષદ ગુણ અને દેને વિશેષરૂપે જાણતી હોય છે, અને ખેટાં શાસ્ત્રોની માન્યતાઓને જે માનતી નથી–ખેઢાંચાલોને માનનારા લોકોના મનમાં જેને બિલકુલ શ્રદ્ધા હતી નથી એવી પરિષદને જ્ઞાયક પરિષદ કહે છે. એવી પરિષદ ગુણગ્રાહી અને અગ્રણાથી રહિત હોય છે. આ પરૂિ ષદમાં એકત્ર થયેલા મનુષ્યો ગુણસમૃદ્ધ હોય છે. જેવી રીતે રાજહંસ જલમિશ્રિત દૂધમાંથી દૂધને જ ગ્રહણ કરે છે અને જળનો પરિત્યાગ કરે છે. તેમ આ પરિષદ પણ દેને પરિત્યાગ કરીને ગુણોને ગ્રહણ કરે છે. આ પરિષદના સભ્ય ધર્મની ધુરાને ધારણ કરવામાં વૃષભની જેમ સદા ઉદ્યોગશીલ રહે છે. તે કારણે તેમને ધીરૂ પુરૂષ માનવામાં આવે છે. અજ્ઞાયક પરિષદનું સ્વરૂપ આ પ્રકારનું હોય છે— ના ઘોર ઉમદા” ઈત્યાદિ–જે પરિષદના સભ્યો સ્વભાવની અપેક્ષાએ ભદ્રભાવ (સરલતાથી યુકત હોય છે. જેના સભ્યો મૃગશિશુ. સિંહશિશુ અને કુકડાના શિશુ સમાન સરલભાવથી યુકત હોય છે. અને ખાણામાંથી નીકળેલા રત્ન સમાન જે અસંસ્કૃત હોય છે. જે પરિષદાને ધર્મતત્વ સમજાવવાનું કાર્ય ઘણું જ સરલ હોય છે. એવા ગુણેથી યુકત પરિષદને અજ્ઞાયક પરિષદ કહે છે. “વા વહુ માવિત્તા” કશાસ્ત્રો આ પરિષદને બહેકાવી શકતાં નથી અને તે પરિષદ સ્વ સિદ્ધાંતથી અભિન્ન પણ હોતી નથી. સિદ્ધાન્તને નામે તને ઝગડા કરતા પણ આવડતા નથી. ષટ્રકેટ શુદ્ધ હીરા સમાન વિશુદ્ધ આ પરીષદ હોય છે. અનુયોગ દ્વાર સુત્રમ
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy