SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્વિદગ્ધ પરીષદનું સ્વરૂપ આ પ્રકારનું હોય છે. નય કચ વિ” ઈત્યાદિકે એક પુરૂષ અમુક વીષયમાં નીષ્ણુત નથી. તે વિષયમાં બીજી કોઈ એક વ્યક્તિ નિષ્ણાત છે, પરંતુ પહેલી વ્યક્તિ બીજી વ્યક્તિને વસ્તુતત્વ વિષે એ કારણે પૂછતી નથી કે તેને પૂછવાથી મારી અપ્રતિષ્ઠા થશે. આ પ્રકારના અભિમાનને કારણે તે તત્વજ્ઞાન-પ્રાપ્તિમાં પ્રયત્નશીલ રહેતો નથી. એવો માણસ સાચા જ્ઞાનના સંસ્કારથી રહિત જ રહેવાને કારણે અવિદગ્ધ-અનિપુણ જ રહે છે. એ માણસ હવાથી ભરેલી ધમણ સમાન અભિમાનથી ફૂલાયા જ કરે છે, આ પ્રકારના અધકચરા જ્ઞાનવાળાને અર્ધદગ્ધ કહે છે. આ પ્રકારના અર્ધદગ્ધ, છીછરા જ્ઞાનવાળા, ત્વરિતગાહી (કોઈ વાત કહેવામાં આવે તે શીધ્ર સમજી લેનારા પણ પાછળથી તેને ભૂલી જનારા માણસો જ્ઞાનના અભિમાનમાં તત્પર રહેતા હોય છે. એવી વ્યક્તિની સભાને દુર્વિદગ્ધા પરિષદ કહે છે આ કથનને ભાવાર્થ એ છે કે જેઓ પિતાને વિશિષ્ટ તરવાની માની રહ્યા છે, અને જેવો વારંવાર સમજાવવા છતાં પણ પિતાના દુરાગ્રહને છોડતા નથી, જેઓ જ્ઞાની પુરુષેની વાત સમજવાને પણ તત્પર નથી એવાં પુરુષને વિદગ્ધ કહે છે અને એવા પુરુષની સભાને દુર્વિદગ્ધ પરિષદ કહે છે. આ ત્રણ પ્રકારની જે પરિષદે કહી તેમાંની પહેલા બે પ્રકારની પરિષદ તે અનુગને પાત્ર ગણાય છે, પણ ત્રીજા પ્રકારની જે દુવિધ પરિષદ છે, તેને અનુગને પાત્ર ગણી નથી, અનુયોગને લગતું આ બધું કથન સૌથી પહેલાં કરવું જોઈએ. ત્યારબાદ જ અનુગાચાર્ય સ્વાર્થનું કથન કરવું જોઈએ. આ પ્રકારના તે અનુયેગના ૧૨ દ્વાર છે. તે બાર દ્વારેનું અનુયોગાચાર્યું શિષ્ય આગળ કથન કરવું જોઈએ. જો કે સૂત્રકારે બે ૧૨ દ્વારનું કથન અહીં કર્યું નથી, છતાં પણ બાકીના દ્વારેને ઉપલક્ષિત કરવા નિમિત્તે “વાઘજ્ઞાઘરાળા ગાનુયોર” કયા સૂત્રને આ અનુગ છે,” આ સાતમાં દ્વારને હદયમાં ધારણ કરીને “રું કુથના કહે” આ સુત્રપાઠથી શરૂ કરીને “ પુખ gai દુર રાવણ ગણુગોનો” આ સૂત્રપાઠ પર્યન્તનું કથન કર્યું છે. “થિર પરિપાટી” આ વિશેષણ એ વાતનું સમર્થન કરે છે કે આ વિશેષણવાળો મુનિ કદી પણ સૂત્ર અને અર્થનું વિપરીત કથન કરતો નથી. જે મુનિ આદેયવચનથી યુક્ત હોય છે, તેમના થોડાં વચને પણ મહા અર્થથી ભરેલા લાગે છે. “આહરણ એટલે ઉદાહરણ અથવા દૃષ્ટાન્ત હેતુ બે પ્રકાર હોય છે—(૧) જ્ઞાપકહેતુ અને (૨) કારક હેતુ ઘટને અભિવ્યંજક દીપક ઘટના જ્ઞાપક હેતુરૂપ છે. ઘટનું નિર્માણ કરનાર કુંભકાર (કુંભાર) ઘટના કારકતરૂપ છે. ઉપસંહારનું નામ ઉપગમ છે. નગમ આદિ સાત નય છે. સૂત્ર ૫ “શાવર્સ ” ઈત્યાદિ– શબ્દાર્થ-(બાવચં ચં ારં?) આવશ્યક સૂત્ર શું એક અંગરૂપ છે, કે અનેક અંગરૂપ છે? (સુથ૬ ?) શું તે એક શ્રેતરૂપ છે, કે અનેક કૃતરૂપ છે? (વંધો વંધાઉં?) શું તે એક સ્કંધરૂપ છે, કે અનેક સ્કંધરૂપ છે? (ગાય સાઘTE ) શું તે એક અધ્યયનરૂપ છે, કે અનેક અધ્યય રૂપ છે? (ઉદ્દે કલા) તે એક ઉદેશરૂપ છે, કે અનેક ઉદ્દેશરૂપ છે? અનુયોગ દ્વાર સુત્રમ ૧૮
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy