SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સમાવી શકાય છે એજ વાત “સુર” ઈત્યાદિ ગાથાઓ દ્વારા પુષ્ટ કરવામાં આવી છે. વિધિ સંબંધી વિરતૃત કથન અન્ય શાસ્ત્રોમાં આપવામાં આવેલું છે, તે જિજ્ઞાસુ પાઠકેએ આ વિજયનું વિશેષ કથન ત્યાંથી વાંચી લેવું જોઈએ. અનુગની પ્રવૃત્તિમાં નીચે પ્રમાણે ચાર ભાગાઓ (વિક) છે– (૧) ઉદ્યમીગુરૂ અને ઉદ્યમી શિષ, આ પહેલે ભાંગે છે. (૨) ઉદ્યમી ગુરૂ અને નિફઘમી શિષ્ય, આ બીજો ભાંગે છે. (૩) અનુવમી ગુરૂ અને ઉદ્યમી શિષ્ય, ત્રીજો ભાંગે છે. (૪) અનુવમી ગુરૂ અને અનુદ્યમી શિષ્ય, આ ચેાથે ભાંગે છે. છે. આ ચાર વિકલ્પમાંથી જે પહેલે વિકલ્પ બત વ્યો છે તે વિકલ્પ પ્રમાણેની પરિસ્થિતિમાં તે અનુગની પ્રવૃત્તિ થવાનું કાર્ય સર્વથા નિશ્ચિત જ હોય છે. ચોથા વિકલ્પમાં બતાવ્યા પ્રમાણેની જ્યારે પરિસ્થિતિ હોય છે, ત્યારે અચાગની પવૃત્તિ બિલકુલ ચાલી શકતી નથી. બીજા અને ત્રીજા વિકલ્પમાં બતાવેલી પરિસ્થિતિમાં કયારેક અનુગની પ્રવૃત્તિ સંભવી પણ શકે છે અને કયારેક નથી પણ સંભવી શકતી. હવે એ વાત પ્રકટ કરવામાં આવે છે કે કયા કયા ગુણેથી (વિશેષણેથી) સંપન્ન વિશિષ્ટ મુનિજને દ્વારા આ અનુગમાં પ્રવૃત્તિ થઈ શકે છે “હે ના ઈત્યાદિ (૧) જે મુનિ આર્યદેશમાં ઉત્પન્ન થયેલા હોય, (૨) જે મુનિના મુળતિ શુદ્ધ હોય-એટલે કે જેને માતૃવંશ અને પતૃવંશ વિશુદ્ધ હેય, (૩) રૂપ-જેમને આહાર ખાવ) સુંદર હય, (૪) સંહનનીજે મુનિ દઢ સંહનનવાળા હય, (૫) પતિયુક્ત-અતિ ગહન વિષયના અર્થ વિષે પણ જેમના મનમાં કોઈ પણ પ્રકારની બ્રાન્તિ ન હોય. તથા પરીષહો અને ઉપસર્ગોની નિશ્ચલતાપૂર્વક જે સહન કરનારા હેય, ૬, અનાસી વસ્ત્ર, સરકાર આદિની આકાંક્ષાથી જેઓ રહિત હોય, ૭, અવિ. કલ્યન-જેઓ આત્મશ્લાઘાથી રહિત હોય અથવા નકામું લાંબું ચેડું ભાષણ કરનારા ન હથ. ૮, અમારી જેઓ કપટભાવથી-માયાથારીથી રહિત હય, ૯, સ્થિરપરિપાટી નિરન્તર અભ્યાસને કારણે જેમને અનુગ કરવાને કમ સ્થિરતા યુક્ત બન્યું હોય, અથવા ગુરૂપરમ્પરાથી પ્રાપ્ત જ્ઞાનના જેઓ પાઠક હેય, ૧૦, ગૃહીતવાકય-જેમના વચને આદેય (ગ્રહણ કરવા યોગ્ય) હેય. ૧૧, જિતપરિષદુ-ઘણું વિશાળ સભામાં પણ જેઓ ભ અનુભવતા ન હેય. ૧૨, જિતનિદ્રા-જેમણે નિદ્રા ઉપર પણ વિજય પ્રાપ્ત કર્યો હોય એટલે કે રાત્રે પણ નિદ્રાને અધીન થયા વિના જેઓ સત્ર અને અથવું ચિન્તન કર્યા કરતા હોય. ૧૩, મધ્યસ્થ-જેઓ પક્ષપાતથી રાહત હોય, ૧૪. દેશકાલ અનુયોગ દ્વાર સુત્રમ ૧૫
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy