SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રચલ' કહેવાય છે. તેના પ્રચલા પ્રચલા દર્શનાવરણીય કર્મ નષ્ટ થઈ જવાથી તેને ક્ષીપ્રચલા પ્રચલ કહેવાય છે, તેના ત્યાનગૃદ્ધિ દર્શનાવરણીય કર્મને ક્ષય થઈ જવાથી તેને “ક્ષીણત્યાનગૃદ્ધિ” કહેવાય છે. તે આત્માના ચક્ષુદશનાવરણીય કર્મનો નાશ થઇ જવાથી તેને “ક્ષીણચક્ષુર્દશનાવરણ” કહેવાય છે. તેના અચક્ષુર્દશનાવરણ કર્મને નાશ થઈ જવાથી તેને “ક્ષીણ અચક્ષુદ્ધનાવરણ' કહેવાય છે. તેના અવધિદર્શનાવરણ કર્મને ક્ષય થઈ જવાથી તેને ક્ષણાવધિદર્શનાવરણ” કહેવાય છે તેના કેવલ દર્શનાવરણ કમનો નાશ થઈ જવાથી તેને ક્ષીણકેવલદર્શનાવરણ” કહેવાય છે એટલે કે દર્શનાવરણ કને સંપૂર્ણતઃ નાશ થઈ જવાને કારણે તે આત્માના પૂર્વોક્ત નામે નિષ્પન્ન થાય છે. નિદ્રાપંચકનાં લક્ષણ નીચે પ્રમાણે સમજવાં– graોr” ઈત્યાદિ-જે કર્મના ઉદયથી સુખપૂર્વક જાગી“શકાય એવી નિદ્રા આવી જાય છે, તે કમને નિદ્રા દર્શનાવરણ કમી કહે છે જે કક્ષના હદયથી નિદ્રામાંથી જાગવાનું અત્યંત દુષ્કર થઈ જાય છે, તે કમને નિદ્રનિદ્રા દર્શનાવરણ કર્મ કહે છે જે કર્મના ઉદયથી બેઠાં બેઠાં કે ઊભાં ઊભાં નિદ્રા આવી જાય છે, તે કર્મને પ્રચલાદર્શનાવરણ કર્મ કહે છે. જે કર્મના ઉદયથી ચાલતાં ચાલતાં નિદ્રા આવી જાય છે, તે કર્મને પ્રચલાપ્રચલા દર્શનાવરણ મ કહે છે ત્યાનગૃદ્ધિ” આ પદ મહાનિદ્રાનું વાચક છે. આ પ્રકારની નિદ્રાવસ્થામાં જાગૃત અવસ્થામાં જે કામો કરવાનો વિચાર કરવામાં આવ્યો હાય તે કામ કરવાનું સામર્થ્ય પ્રકટ થઈ જાય છે. જે જીવમાં અતિ સંકિલષ્ટ કર્મને ઉલ્ય હોય છે, એજ જીવમાં આ સ્થાનવૃદ્ધિ દર્શનાવરણને સદૂભાવ રહે છે સ્વાભાવિક બળ કરતાં કેટલાય ગણુાં અધિક બળને આ પ્રકારની નિદ્રામાં અનુભવ થાય છે. આગળ જ્ઞાનાવરણ કર્મના અભાવની અપેક્ષાએ અનાવરણ, નિરાવરણ અને ક્ષીણાવરણ, આ પદેને અર્થ પ્રકટ કરવામાં આવ્યું છે એજ પ્રકારે અહીં દર્શનાવરણ કર્મના અભાવને અનુલક્ષીને અનાવરણ, નિરાવરણ અને શીણાવરણને અર્થ સમજી લેવું જોઈએ. | ( સિગારનિ યમદિવ) સૂત્રકારે દર્શનાવરણીય કર્મના ક્ષયની અપેક્ષાએ કેવળદેશથી લઈને નિરાવણ પર્યન્તના ઉપયુક્ત નામે પ્રકટ કર્યા છે, હવે વેદનીય કર્મના ક્ષયની અપેક્ષાએ જે નામો નિષ્પન્ન થાય છે, તે પ્રકટ કરવામાં આવે છે-(વીનણાયાવળિને હીન કરાવાયfણ) વેદનીય કામના બે પ્રકાર પડે છે-(૧) સાતવેદનીય કર્મ અને (૨) અસાતવેદનીય કર્મ જે કર્મના ઉદયથી જીવને સુખને અનુભવ થાય છે, તે કમને સાતા. નીય કામ કહે છે જે કર્મના ઉદયથી જીવને દુઃખને અનુભવ થાય છે, તે કમને અસતાવેદનીય કર્મ કહે છે આ બન્ને પ્રકારના વેનીય કર્મોને ક્ષય થઈ જવાથી જીવ “ક્ષીણુસતાવેદનીય” અને “ક્ષીણ માતાદનીયબની જાય છે. (વેકે, નિત્તેજ) વેદનીય કર્મને ક્ષય થઈ જવાથી આત્મા વેદનારહિત બની જાય છે. “અવેદન” પદ અલપેદનાનું પણ વાચક છે, કારણ કે અવેદન” પદમાં જે “અ” ઉપસર્ગ છે તે અલ્પતાના અર્થમાં પણ પ્રયક્ત થાય છે. તેથી સૂત્રકારે “નિર્વેદન' પદના પ્રયોગ દ્વારા એ વાત પ્રકટ કરી છે કે વેદનીય કમને સર્વથા ક્ષય થવાથી આત્મા સર્વ પ્રકારની વેદનાથી રહિત થઈ જાય છે. (વીન) કાલાન્તરે (ભવિષ્યમાં પણ તે જીવને વેદનાને અનુભવ કરે પડતું નથી તેથી તે જીવને “ક્ષીણવેદન” કહ્યો છે. અનુયોગ દ્વાર સુત્રમ ૨૩૯
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy