SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર-(જુદાજુપુરવી) પૂર્વાનુપૂર્વ સામાચારીનું સ્વરૂપ આ પ્રકારનું છે(છાળો, ઉના, તારો, બાવસિયા, નિવીદિયા, સાપુરઝળા, વહિપુછળા, ઇંળા, નિર્માત નr, saāપયા) ઈછાકાર, મિથ્થાકાર, તથાકાર, આવશ્યકી, નધિજી, આમછના, પ્રતિપચ્છના, છન્દના, નિમંત્રણા અને ઉપસંપત, આ ક્રમે પદે વિન્યાસ (સ્થાપના) કરવો તેનું નામ પૂર્વાનુપૂર્વ સામાચારી છે. હવે ઈચ્છાકાર આદિ પદોનો અર્થ સ્પષ્ટ કરવામાં આવે છેકોઇની બળજબરી વિના-બહારના કોઈ પણ દબાણ વિના-ત્રકાદિક આચરવાની ઈરછા કરવી તેનું નામ ઈરછાકાર છે. મારા દ્વારા પ્રમાદ આદિને કારણે આ અકૃત્યનું જે સેવન થઈ ગયું છે, તે મારું અકૃત્ય નિષ્ફલ (મિથ્યા) હે,” આ પ્રકારને મનમાં વિચાર કરવું તેનું નામ મિથ્થાકાર છે. જ્યારે કેઈ અકૃત્યનું સેવન થઈ જાય છે ત્યારે પુરુષ મનમાં એવું ચિત્તવન કરે છે કે “આ મેં જે કર્યું છે તે ભગવાન દ્વારા અનુક્ત હોવાથી મિથ્યાત છે. તેથી તે દુકૃત્ય રૂ૫ જ છે. એવું દુષ્કૃત્ય મારા વડે સેલાઈ ગયું છે, પરંતુ હવેથી હું તેનું સેવન નહીં કરું,” આ પ્રકારનો વિચાર કરીને અસત્ ક્રિયાએથી દૂર રહેવુંએવી ક્રિયાઓ કરતાં પાછાં હઠવું, તેનું નામ મિસ્થાકાર છે. સૂત્રનું વ્યાખ4:ન આદિ જયારે ચાલી રહ્યું હોય, ત્યારે ગુરુ જે વચનો કહે તેને સ્વીકારી લેવા–“ હે ગુરુદેવ ! આપ જે કહો છે તે ખરૂં જ છેઆપની વાત યથાર્થ છે, ' આ પ્રકારનાં વચનનું ઉચ્ચારણ કરવું તેનું નામ તથાકાર છે. એટલે કે હિત કર્યા વિના જ ગુરુની આજ્ઞાનો સ્વીકાર કરો તેનું નામ તથાકાર છે. આવશ્યકી-અ.વશ્યક કર્તવ્ય કરવાને માટે પાશ્રયમાંથી બહાર જવાનું જે અવશ્ય ક રૂપે ઉપસ્થિત થાય, ને “વફાં ર્તમિદમ્ તો ઘરા” છે આ કાર્ય અરણ્ય કરવા માં છે, ” આ પ્રકારનો વિચાર કરીને બહાર જવાની આજ્ઞા પ્ર પ્ત કરવા માટે ગુરુની આગળ નિવેદન કરવું તેનું નામ આથકી છે. ઉપાશ્રયની બહારના કાર્યોને પતાવીને જ્યારે સાધુ ઉપાશ્રયમાં પ્રવેશ કરે, ત્યારે તે પોતાના ઉપાશ્રયમાં પાછા ફરવાની સૂચના આપે છે. આ પ્રકારે ઉપ પ્રમાં પુનઃ ધવેશની જે સૂચના અપાય છે તેને નધિકી કહે છે. આમ કરવાનું કારણ એ છે કે તેના આગમનની પ્રતીક્ષા કરતા બાકીના . ૭૮ અનુયોગ દ્વાર સુત્રમ ૨૧૧
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy