SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુઓને તેના આગમનની ખબર પડે છે અને તેના દ્વારા ડેઇને ઉત્રાય , ઉત્પન્ન થવાની સંભાવના રહેતી નથી. આપ્રચ્છના-“હે ભ્રચવ ! હું આ કામ કરું છું” આ પ્રકારે ગુરુ મહાજને પૂછવું તેનું નામ આપ્રચ્છના છે. પ્રતિપ્રચ્છના-કઈ કામ કરવા માટે શિષ્ય ગુરુ પાસે આજ્ઞા માગે, અને તે કાર્યની ગુરૂએ આજ્ઞા આપ્યા છતાં પણ કાર્ય કરતી વખતે આ પ્રમાણે ગુરુને ફરીથી પૂછવું તેનું નામ પ્રતિપ્રચ્છના છે. અથવા-બીજે ગામ જવાની ગુરુ દ્વારા આજ્ઞા મળી હોય. છતાં પણ બીજે ગામ ગમન કરતી વખતે શિષ્ય કરીથી ગુરુની આજ્ઞા લેવી જોઈએ આ પ્રકારે પૂર્વે આજ્ઞા પ્રાપ્ત થઈ ગયા બાદ ગમન કરતી વખતે ગુરુને કરી જે પૂછવામાં આવે છે તેનું નામ પ્રતિ પ્રચ્છના છે પ્રત્યેક કાર્યમાં પણ આ પ્રતિપ્રચ્છના સંભવી શકે છે. છેદના–પિતાના ભાગના આહારદિને ભેજનાદિ રૂપે ગ્રહણ કરવાની અન્ય સાંગિક સાધુઓને વિનંતિ કરવી તેનું નામ છંદના છે. ગુરુની આજ્ઞા લઈને તે સાધુ યથારાનિક અન્ય સાધુઓને આ પ્રમાણે આગ્રહ કરે છે-“કૃપા કરીને આપ આ આહારદિને ગ્રડણ કરો અને તેને ઉપયોગ કરે.” આ પ્રકારની સાધુ સમાચારીનું નામ છેદના છે. નિમંત્રણ–પદાર્થની પ્રાપ્તિ થયાં પહેલાં કઈ પણ સાધુને કોઈ પણ અન્ય સાધુ દ્વારા એવું જે કહેવામાં આવે છે કે અમુક પદાર્થ વહોરી લાવીને હું આપને આપીશ, આ પ્રમાણે કઈ પણ વસ્તુ લાવી આપવાને ભાવ છે તેમ કહેવું તેનું નામ નિમંત્રણ છે. જુવાદિgn” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા આ વાત જ પ્રકટ કરવામાં આવી છે. ઉ૫સંપ-કૃતાદિનો અર્થ શીખવાને માટે “હું આપનો જ છું, ” આ પ્રકારનાં વચનો દ્વારા અન્ય સાધુની આધીનતાને સ્વીકાર કરે તેનું નામ ઉસંપ્રપ્ત છે. ધર્મ પરાનુ તાપમૂલક હોય છે. એટલે કે ધર્મ તેને જ કહી શકાય કે જેના દ્વારા કઈ પ્રાણીને કષ્ટ ન થાય ઇચ્છાકાર એજ પ્રકારને ધર્મ છે, કારણ કે તેમાં જે વ્રતાદિકનું આચરણ કરવાની ઈચ્છા કરાય છે, તેમાં અન્યની અા જ્ઞા અથવા બળજબરી ચાલી શકતી નથી, કારણ કે એવી આજ્ઞા અને બળજબરી કરવામાં આવે તે અન્ય જીવને સ તાપે થાય છે કે થઈ શકે છે. તેથી વ્રતાલિકાની ચાહનામાં આત્માની પિતાની જ ઈછા કાર્ય સાધક બને છે. આ પ્રકારે ઈચ્છાકારમાં પ્રધાનતા હોવાને કારણે અહીં સૌથી પહેલાં ઉછાકારનો ઉપન્યાસ કરવામાં આવ્યો છે. જ્યારે કેઈ સાધુ કઈ અકૃત્યનું સેવન કરે છે અથવા વ્રતાદિકેને ભંગ કરે છે ત્યારે અન્ય જીને કષ્ટ નહી આપનારા એવાં ગુરુજનો દ્વારા મિથ્યા દુષ્કૃત દેવામાં આવે છે, તેથી ઈછાકારને ઉપન્યાસ કર્યા બ દ મિથ્યાકારને ઉપન્યાસ કરવામાં આવ્યું છે. ઈચ્છાકાર અને મિથ્યાદુકૃત, આ બનેને સદ્ભાવ ત્યારે જ હોઈ શકે છે કે જ્યારે ગુરુનાં વચને પર શિષ્યને વિશ્વાસ હોય છે. ગુરુના વચનનો શિષ્ય સ્વીકાર કરે છે, એ વાત તથાકાર વડે જ જાણું શકાય છે. તે કારણે મિથ્યાકાર પછી તથાકારનો પાઠ રાખવામાં આવ્યો છે. ગુરુના વચનને તથાકાર દ્વારા સ્વીકાર કરનાર શિષ્ય ઉપાશ્રયમાંથી કઈ આવશ્યક કાર્ય નિમિત્તે બહાર જવા માટે ગુરુની આજ્ઞા લેવી જોઈએ, એજ વાતને સ્પષ્ટ કરવાને માટે તથાકાર પછી આવશ્યકીને પાઠ રાખવામાં આવ્યે અનુયોગ દ્વાર સુત્રમ ૨૧૨
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy