SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ લાગતું નથી પિતાની શંકાના સમર્થનમાં તે એવી દલીલ કરે કે-અસં. ખ્યાત પ્રદેશવાળા આ લેકમાં અનાનુપૂર્વી દ્રવ્યોની સંખ્યા સૌથી વધારે છે, અવકતવ્યક દ્રવ્યોની સંખ્યા અનાનુપૂર દ્રા કરતાં ઓછી છે અને આનુપૂર્વી દ્રવ્યોની સંખ્યા તે અવક્તવ્યક દ્રવ્યો કરતાં પણ ઓછી છે. નીચેની કલ્પના દ્વારા તે પિતાની આ માન્યતાનું સમર્થન કરે છે. તેના અસંખ્યાત પ્રદેશ માનવામાં આવ્યા છે. ધારો કે લેકના ૩૦ પ્રચ્યો છે અનાનુપૂવ દ્રવ્ય લેકાકાશના એક એક પ્રદેશ રૂપ આધાર પર અવગાહિત છે. તેથી ૩૦ પ્રદેશોમાં અવગાહિત અનાનુપૂર્વી દ્રવ્યોની સંખ્યા ૩૦ ત્રીસ થાય છે અવકતવ્યક દ્રવ્ય કે જે બેપ્રદેશી હોય છે તે કાકાશના બખે પ્રદેશોમાં અવગાહિત હોય છે. તેથી તેમની સંખ્યા ૧૫ ની થાય છે. તથા આનુપૂર્વી" દ્રય લેાકાકાશના ત્રણ ત્રણ પ્રદેશોમાં અવગાહિત હોવાથી ૩૦ પ્રશ્ચામાં અવગાઢ આનુપૂવી દ્રવ્યોની સંખ્યા બાકીના બન્ને દ્રવ્ય કરતાં ઓછી થવા છતાં આપ શા કારણે એવું કહો છો કે આનવી દ્રપે બાકીના બને દ્રવ્ય કરતાં અસંખ્યાત ગણાં હોય છે? આ શંકાનું અહી નીચે પ્રમાણે સમાધાન કરવામાં આવ્યું છેતમે કહે છે એવી વાત નથી, કારણ કે આકાશને એક એક પ્રદેશ ભિન્ન ભિન્ન રૂપે પરિણત થયેલ અનેક ત્રણ આદિ અસુરૂપ આનુપૂવી દ્રવ્યોનું આધારસ્થાન છે. એક આવી દ્રવ્યમાં આકાશના જે ત્રણ પ્રો ઉપયુકત થાય છે, તે ત્રણ પ્રદેશો જે અન્ય આનુવ દ્રવ્યોના ઉપયોગમાં આવી શકતા ન હોત તો એવી વાત સંભવી શકત કે આનુપૂવી છે બાકીના બનને દ્રો કરતાં બહુ જ અલ્પ સંખ્યામાં છે. પરંતુ પરિસ્થિતિ એવી છે કે આકાશના જે ત્રણ આદિ પ્રદેશ એક આનુપૂર્વીય દ્રવ્યના કામમાં આવે છે, એજ પ્રદેશ અન્ય આનુપૂરી" ના ઉપયોગમાં પણ આવે છે. જે આકાશના ત્રણ પ્રદેશો જે સ્વભાવને લીધે ત્રણ અણુવાળી એક આનુપૂર્વીના ઉપયોગમાં આવ્યા છે, તે ત્રણ પ્રદેશે એજ સવભાવથી ત્રણ અણુવાળાં, અને ચાર પ્રદેશવાળાં આદિ અનેક આનુપૂર્વી વચ્ચેના ઉપયોગમાં આવતાં નથી. તેમના સ્વભાવમાં આધેયની ભિન્નતાને લીધે ભિન્નતા આવી જાય છે. તેથી આકાશને સ્વભાવની ભિન્નતાને કારણે અસંખ્યાત પ્રદેશી માનવામાં આવેલ છે. ત્રિ અશુક આદિ રૂપ આનુપૂર્વી દ્રવ્ય પણ એક એકની સંખ્યામાં જ નથી, પરંતુ પ્રત્યેક આનુપૂવ દ્રવ્ય અનેક હોય છે.-ત્રિ અણુક આદિ પ્રત્યેક આનુપૂવી અનેક હોય છે... અને તેથી જ તે સમસ્ત આનુપૂર્વી એ લેકવ્યાપી છે. અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્ય પણ લેકવ્યાપી છે આ ત્રણેમાંથી આનુપૂવી દ્રવ્ય જ તે બન્ને દ્રવ્ય કરતાં અસખ્યાત ગણું છે, કારણ કે અનાનુપૂર્વી દ્રવ્યને માટે એક પ્રદેશ રૂપ આધારની અને અવકતવ્યક દ્રવ્યને અનુયોગ દ્વાર સુત્રમ ૧૭૦
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy