SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પરતુ ઉત્તર રૂપે તે ત્રણે દ્રવ્યોની વાત કરવામાં આવી છે તેનું કારણ શું છે? ઉત્તર-તે ત્રણે દ્રવ્યનું અત્તર સમાન હેવ.થી ત્રણે દ્રવ્યના અન્તરની વાત સાથે જ કરવામાં આવી છે. ઉત્તર–આ અન્તરદ્વારનો ભાવાર્થ નીચે પ્રમાણે છે-આ સૂત્રમાં અન્તર એટલે વિરહકાળ ગ્રહણ કરવો જોઈએ કેઈ એક ત્રણ આદિ પ્રદેશાવગઢ આનુપૂવી દ્રવ્ય કઈ એક વિવક્ષિત (અમુક) ક્ષેત્રમાંથી નીકળીને એક સમય સુધી કોઈ બીજા ક્ષેત્રમાં અવગાહિત થઈને ફરીથી પિતે એકલું અથવા કોઈ અન્ય દ્રવ્યની સાથે સંયુક્ત થઈને એજ વિવક્ષિત ત્રણ આદિ આકાશ રૂપ પ્રદેશોમાં અવગાઢ થાય, તે તે પરિસ્થિતિમાં તે એક આનુવ દ્રવ્યનું અંતર કાળની અપેક્ષાએ (વિરહાકાળ) એક સમયનું ગણાય છે, આ અતરને કાળની અપે. હાએ જન્ય અન્તર સમજવું તથા એજ દ્રવ્ય અન્ય ક્ષેત્ર પ્રદેશોમાં અસં ખ્યાતકાળ સુધી ફરીને પોતે એકલું અથવા અન્ય દ્રા સાથે સંયુક્ત થઈને પહેલાં જે ક્ષેત્રમાં અવગાહિત થયું હતું એજ ક્ષેત્રમાં અવગાહિત થઈ જાય, તે તે પરિસ્થિતિમાં તેને ઉત્કૃષ્ટ વિરહકાળ અસંખ્યાતકાળને ગણાય છે. અહીં એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે દ્રવ્યાનપૂર્વમાં ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) અનન્ત કાળને વિરહકાળ કયો છે, પરન્ત શેત્રાનવીમાં ઉત્કૃષ્ટ વિરહકાળ અનન્તકાળને કહેવાને બદલે અસંખ્યાતકાળને કહ્યો છે. તેનું કારણ નીચે પ્રમાણે છે દ્રવ્યાનવીમાં વિવક્ષિત દ્રવ્ય સિવાયના જે અન્ય દ્રવ્યો છે તે અનંત છે. તેથી તેમની સાથે તેને ક્રમશઃ સંગ થઈને ફરીથી પિતાના સવરૂપની પ્રાપ્તિ થવામાં તેને અનંતકાળનું અતર પડી જાય છે. આ પ્રકારે પુનઃ સ્વરૂપ પ્રાપ્તિમાં અનન્તકાળનું અતર પડવાની વાત સિદ્ધ થઈ જાય છે. પરંતુ અહીં ક્ષેત્રાનુપૂર્વમાં) વિવક્ષિત અવગાહક્ષેત્ર સિવાયનાં અન્ય ક્ષેત્રે તે અસંખ્યાતપ્રદેશ પ્રમાણે જ છે-અનંત પ્રદેશપ્રમાણ નથી તેથી પ્રત્યેક સ્થાનમાં અવગાહનાને આશ્રિત કરીને જે તેની સંગસ્થિતિ છે, તે અસંખાતકાળની જ છે તેથી કઈ વિવક્ષિત પ્રદેશમાંથી નીકળીને અન્ય અસંખ્યાત ક્ષેત્રોમાં પરિભ્રમણ કરીને તે દ્રવ્ય પિતે એકલું અથવા અન્ય દ્રવ્યની સામે સંયત થઈને તે વિક્ષિત પ્રદેશમાં અસંખ્યાતકાળ અતીત થયા બાદ જ અવગાદિત થઈ જાય છે * શંકા-અવગાહના ક્ષેત્ર સિવાયનું જે અન્ય ક્ષેત્ર છે તે ભલે અસંખ્યાત પ્રદેશવાળું હોય તે વાત માનવામાં અમને કોઈ વાંધો નથી પરંતુ એજ પ્રદેશોમાં વારંવાર પરિક્રમણ કરવામાં તે દ્રવ્યને અનન્તકાળનું અન્તર પણ લાગી શકે છે. છતાં સૂત્રકારે અહીં અનન્તકાળના અન્તરને બદલે અસંખ્યાતકાળનું અન્તર શા માટે કહ્યું છે? ઉત્તર-વિવક્ષિત પ્રદેશરૂપ ક્ષેત્રમાંથી નીકળીને અન્ય અસંખ્યાત પ્રદેશ રૂ૫ રેત્રમાં દ્રવ્યનું પરિભ્રમણ અસંખ્યાત કાળ સુધી જ થાય છે. ત્યાર બાદ તે દ્રવ્ય નિયમથી જ તે વિવક્ષિત ક્ષેત્રમાં જ આવી જાય છે, કારણ કે તેને એ જ સ્વભાવ છે. અથવા-ત્રણ આદિ પ્રદેશ રૂપ કોઈ વિવક્ષિત ક્ષેત્રમાંથી નીuળીને તે આપવી દ્રવ્ય અન્ય પ્રદેશમાં ચાલ્યું જાય છે, અને ત્યારબાદ તે હેત્ર સ્વભાવથી જ અસંખ્યાતકાળ બાદ એજ આનુપૂવી દ્રવ્ય સાથે, અથવા જ, અનુયોગ દ્વાર સુત્રમ ૧૬૬
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy