SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ એમને એમ પડી રહ્યો. થોડીવાર પછી રાજા અને અમાત્ય એજ રસ્તેથી પાછાં ફર્યા. તે પડતર જગ્યામાં ઘોડાના પેશાબને હજી પણ વિના સુકાયેલે જોઈને રાજાના મનમાં આ પ્રકારને વિચાર આવ્ય-“જો આ જગ્યાએ તળાવ ખોદાવવામાં આવે, તે તે તળાવ કાયમ અગાધ જળથી ભરપૂર રહેશે. તેનું પાણી સુકાશે નહીં આ પ્રકારને વિચાર કરતે કરતે તે રાજા તે ભૂમિભાગ સામે ઘણીવાર સુધી તાકી રહ્યો. ત્યારબાદ તે રાજા તે અમાત્યની સાથે રાજમહેલ તરફ રવાના થઈ ગયે. તે ચતુર અમાત્ય તે રાજાના મનોગત ભાવને બરાબર સમજી ગયો. તેણે રાજાને પૂછ્યા વિના જ તે જગ્યાએ એક વિશાળ તળાવ ખોદાવ્યું અને તેના કિનારે વિવિધ પ્રકારના અને વિવિધ વાતુઓનાં ફલ-ફૂલથી સંપન્ન વૃક્ષા રોપાવી દીધાં. ત્યારબાદ ફરી કઈ દિવસે તે રાજા તે અમાત્યની સાથે એજ રસ્તે થઈને ફરવા નીકળે પેલી જગ્યાએ વૃક્ષના ઝુંડોથી સુશોભિત તે જળાશયને જોઈને રાજાએ તે અમાત્યને પૂછયું-અરે ! આ અતિશય રમણીય જળાશય અહીં કે અંધાયું છે? ત્યારે અમાત્યે જવાબ આપે-“હે મહારાજા આપે પોતે જ આ જળાશય બંધાવ્યું છે.” ત્યારે રાજાના આશ્ચર્ય પાર ન રહ્યો. તેણે અમાત્યને કહ્યું. “આ જળાશય શું મેં બંધાવ્યું છે? આ જળાશય બંધાવવાને કઈ આદેશ કર્યાનું મને યાદ નથી !” ત્યારે અમાયે આ પ્રમાણે ખુલાસો કર્યો-“હે મહારાજ ! ઘણા સમય સુધી આ જગ્યાએ ઘોડાના મૃત્રને વિના સૂકાયે પડયું રહેવું જોઈને આપે આ જગ્યાએ જળાશય બંધાવવાનો વિચાર કરે. આપે માનેલું કે આ જગ્યાએ જળાશય ખોદાવવાથી તેમાં પાણી કદી સુકાશે નહીં. આપના આ મનોગત વિચારનેઆપ અશ્વક્રીડા કરીને પાછા ફરતી વખતે જે દૃષ્ટિથી તે અવમૂત્રની સામે નિરખી રહ્યા હતા તે દૃષ્ટિ દ્વારા જાણી જોઈને મેં આ જળાશય અહીં બંધાવ્યું છે.” પરના ચિત્તને સમજવાની પિતાના અમાત્યની તે શકિત જોઈને રાજાને ઘણે હર્ષ થયો તેણે તેની ખૂ" પ્રશંસા કરી અને તેનું વેતન અને હદો વધારી દઈને તેની કદર કરી. આ પ્રકારની અન્યના મને ગત ભાવોને જાણનાર તે અમાત્યની કથા છે. આ ત્રણે ભાવપક્રમણનાં દાન્ત છે. આ ભાવપક્રમણ માં સંસાર૩૫ કુલજનકતાને સદ્ભાવ હોવાથી તેમને અપ્રશસ્ત કહેવામાં આવેલ છે. | (Tછે મi) ગુરૂ આદિનાં અભિપ્રાયને યાર્થરૂપ જાણવા તે પ્રશસ્ત ભાપક્રમ છે. એટલે કે મૃત આદિનું પરિજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છતા શિયાદિને ગુરુઆદિકના ભાવનું જે યથાર્થ પરિસાન થાય છે, તેનું નામ ને આગમની અપેક્ષાએ પ્રશસ્ત ભાવપક્રમ છે. શંકા- અહીં તે અનુગદ્વારની પ્રરૂપણા ચાલી રહી છે. અgયેગને અર્થ વ્યાખ્યાન થાય છે. તેથી અનુગદ્વારનું વ્યાખ્યાન કરવામાં ઉપયુકત હોય તેમનું જ કથન અહીં થવું જોઈએ. ગુરૂભાવપક્રમ તે વ્યાખ્યાનમાં અનુપયોગી છે, તેથી અહીં તેનું કથન થવું જોઈએ નહીં. ઉત્તર-વ્યાખ્યાન ગરુને આધીન હોય છે. તેથી તે વ્યાખ્યાનની પ્રાપ્તિને માટે ગુરૂના અભિપ્રાયને જાણી લેવાનું જ્ઞાન શિવેને માટે પરમ આવશ્યક ગણાય છે. શરુના અભિપ્રાયને જાણનારે શિષ્ય તેમને અનુકુળ થઈ પડે એવા પિતાના આચરણથી તેમને ખુશ કરે છે, અને તેના વતનથી સંતુષ્ટ થયેલા તે ગુરુ તેની સમક્ષ રહસ્યયુકત શાસ્ત્રની પ્રરૂપણ કરે છે. આ રીતે ગુરૂના ભાવનું શિષ્યને યથાવત પરિજ્ઞાન થવું એ પણું વ્યાખ્યાનના એક અંગરૂપ જ છે. તે કારણે સુત્રકારતું ઉપર્યુંકત કથન ઉચિત જ છે. કહ્યું પણ છે કે-(gયત્તાત્યાદ્રિ) શાઓનું પઠન અનુયોગ દ્વાર સુત્રમ ૦૮
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy