SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે તેની માતાએ સંતેષ પામીને તેને આ પ્રમાણે કહ્યું–“બેટી ! તું પણ તારા ઘરમાં તારી ઈચ્છા પ્રમાણે વર્તાવ કરી શકે છે. તારા પતિને સ્વભાવ એ. છે કે તે ગમે તેટલો રૂટ થયે હેય તે પણ ક્ષણમાત્રમાં તુષ્ટ થઈ જાય છે.” ત્રીજી પુત્રીએ પણ કોઈ દેષનું આરોપણ કરીને તેના પતિને મસ્તક પર લાત લગાવી દીધી. ત્યારે તેના ક્રોધને પારા ઘણે ઊંચે ચડી ગયે, તેની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ અને તેણે તેને આ પ્રમાણે કહ્યું, “અરે નીચ ! કુલકન્યાએ ન કરવા ગ્ય આ પ્રકારનું કાર્ય તે શા માટે કર્યું?” આ પ્રમાણે કહીને તેણે તેને ગડદાપાટુ આદિ મારી મારીને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકી. ત્યારે તે પુત્રી તેની માતા પાસે ગઈ અને તેમને સર્વ હકીકત કહી સંભળાવી. પુત્રીની આ વાત દ્વારા ડેણિી બ્રાહ્મણીને તેની ત્રીજી પુત્રીના પતિના સ્વભાવનો પણ ખ્યાલ આવી ગયે. તુરત જ તે તેની (ત્રીજી પુત્રીના પતિની) પાસે પહોંચી ગઈ અને મીઠી વાણી દ્વારા તેના ક્રોધને શાન્ત પાડવાનો પ્રયત્ન કરવા લાગી. તેણે તેને આ પ્રમાણે કહ્યું-“જમાઈરાજ! અમારા કુળમાં સુહાગરાતે પ્રથમ સમાગમ વખતે પતિના મસ્તક પર ચરણપ્રહાર કરવાને અચિાર સાથે આવે છે. તે કારણે મારી પુત્રીએ તમારી સાથે એવો વ્યવહાર કર્યો છે, દુષ્ટતાને કારણે એવું કરવામાં આવ્યું નથી. માટે આપે કોધ છેડીને તેના વર્તન માટે તેને માફી આપવી જોઈએ.” સાસૂના આ પ્રકારના વચને સાંભળીને તેને ગુસ્સો ઉતરી ગયે. ત્યારબાદ તે ડેડિણી બ્રાહ્મણીએ તેની ત્રીજી પુત્રીને આ પ્રમાણે સલાહ આપી-બેટી ! તારા પતિ દુરારાધ્ય છે. માટે તારે તેમની આજ્ઞાનું બરાબર પાલન કરવું અને ખૂબ જ સાવધાની પૂર્વક તેમની સેવા કરવી. આ પ્રકારે ડેડિણી બ્રાહ્મણીએ પિતાના જમાઈઓના અભિપ્રાયને ઉપર દર્શાવેલી યુક્તિ વડે જાણી લીધે. હવે પર અભિપ્રાય જાણવાને સમર્થ એવી એક વિલાસવતી નામની ગુણિકાનું દષ્ટાંત આપવામાં આવે છે. કેઈ એક નગરમાં કઈ એક ગણિકા રહેતી હતી. તે ૬૪ કલાઓમાં નિપુણ હતી. તેણે પરને અભિપ્રાય જાણવાને માટે આ પ્રકારની પદ્ધતિ અપનાવી હતી. તેણે પિતાના રતિભવનની ભી તે પર જુદા જુદા પ્રકારની ક્રિયાઓ કરતાં વિવિધ જાતિના પુરૂષનાં ચિત્રો દોરામાં હતાં. જે પુરૂષ ત્યાં આવતે, તે પિતાના જાતીયચિત ચિત્રનું નિરીક્ષણ કરવામાં તન્મય થઈ જતે તેના આ પ્રકારના વર્તનથી તેની જાતિ, સ્વભાવ, રુચિ આદિને તે વિલાસવતી સમજી જતી હતી અને તે પુરૂષની સાથે તેની જાતિ રૂચિ આદિને યોગ્ય વર્તાવ બતાવીને તેને સત્કાર આદિ દ્વારા ખુશખુશ કરી નાખતી. તેના વર્તત આદિથી ખુશ થઈને તેને ત્યાં જનારા પુરૂષો ખૂબ ધન આપીને પોતાને સતેષ પ્રકટ કરતા હતા. હવે અમાત્યનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે અને એ વાત પ્રકટ કરવામાં આવે છે કે તે અમાત્ય કેવી રીતે અન્યના અભિપ્રાયને જાણી લેતા હતા કઈ એક નગરમાં ભદ્રબાહુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુશીલ નામે એક અમાત્ય હતું. તે નીતિશાસ્ત્રમાં ઘણે જ નિપુણ હતો. પરના અભિપ્રાયને ઘણી જ ઝડપથી જાણી લેવાને તે સમર્થ હતું. હવે એક દિવસ તે રાજા તે અમાત્યને સાથે લઈને અશ્વકીડા કરવા નિમિત્તે નગરની બહાર નીકળી પડયે. ચાલતાં ચાલતાં માગના કેઇ એક પડતર (ખેતી ન થતી હોય એ પ્રદેશ) પર ઊભા રહીને દેહાએ પિશાબ કર્યો. તે પિશાબ સુકાઈ ગયે નહીં પણ ત્યાં તે જમીનમાં અનુયોગ દ્વાર સુત્રમ ૯૭
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy