SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં યોગ અને ધ્યાન સાધકને જ્ઞાન માટે પાત્ર બનાવે છે. મોક્ષના અભિલાષી આરાધક જીવોને જ્ઞાનયોગનાઅધિકારી બનાવે છે. જ્ઞાનયોગથી સમતા અને સમાધિ પ્રાપ્ત થાય છે. જ્ઞાનયોગમાં સ્થિર થતા ધ્યાનયોગના અધિકારી બને છે. જે ધ્યાનયોગમાં આફ્ટ થઈ ક્ષપક શ્રેણિ માંડે છે તે મુક્તિયોગ પ્રાપ્ત કરે છે. મુક્તિયોગ એટલે મુક્તિની અવસ્થા અર્થાત મન - વચન અને કાયાના યોગથી રહિત એવી અયોગી સિધાવસ્થા છે. ડૉ. રશ્મિબેન ભેદા મુમુક્ષુ સાધકો ધ્યાન કે યોગમાર્ગની ઉપાસના કરીને બ્રહ્મસ્વરૂપ પરમાત્માને અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. જૈન દર્શનમાં ‘યોગ’ શબ્દ જેમ મન, વચન અને કાયાના અર્થમાં પ્રયુક્ત થયેલો છે તેવી જ રીતે આત્મસમાધિરૂપ સાધનાના સંદર્ભમાં પણ પ્રયોજાયેલો છે. ચાર મુખ્ય આગમ ગ્રંથો જેમાં ‘આવશ્યક અધ્યાત્મયોગી શ્રીમાજચંદ શ્રીમદ્રાજચંદ અનેક ભવોમાં સાધેલા યોગના ફળરૂપે આ ભવમાં પ્રાપ્ત થયેલા અભૂત યોગીશ્વર હતા. તેઓ ગૃહસ્થપણે બાહ્ય જીવન જીવતા હતા પણ અંતરંગમાં નિગ્રંથભાવે નિર્લેપ હતા. એમનું જીવન એ આત્માશુદ્ધિ અને આત્મસિદ્ધિ માટે સતત મથતા એક ઉચ્ચ કોટીના યોગીનું જીવન હતું. સર્વોત્તમ યોગીનું લક્ષણ કહેતા એ લખે છે ‘ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે જે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે ‘સત' જ આચરે છે, જગત જેને વિસ્મૃત થયું છે અને એ જ ઇચ્છે છીએ. એમના કાવ્ય (યમ, નિયમ સંજમ આપ કિયો) માં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે આ જીવે અનંત ભવમાં અનેક વાર યમ, નિયમ... વિગેરે અષ્ટાંગ યોગની સાધના કરી, આસનના |જય માટે અવિચળપણે દેઢ પદ્માસન લગાવ્યું, મનને રોકી શ્વાસોશ્વાસ સ્થિર કરી ધ્યાન ધરવાનો પ્રયત્ન કર્યો, અનાદિકાળના પરિભ્રમણમાં અનેક સાધનોનો પરિશ્રમ અનંતવાર કર્યા છતા હજૂ સુધી તે સફળ થયો નથી, આત્મજ્ઞાન થયું નથી. જ્ઞાની પુરુષો કહે છે, | આત્મજ્ઞાની સદ્ગુની પ્રાપ્તિ વિના આત્મપ્રાપ્તિરૂપ ધર્મરહસ્યને પામી શકાય તેમ નથી. | સદગુરૂગમે જ્યારે માત્માનું પરમાત્માસ્વરૂપ સમજાશે ત્યારે આત્મપ્રાપ્તિ થશે. આત્મા જે શુદ્ધ સ્વરૂપી છે એનો જ્યારે યોગ થશે ત્યારે તે મોક્ષમાર્ગમાં આગળ વધશે. વહ સત્ય સુધા દરશાવહિંગે ચતુરાંગુલ સે દેગસે મિલો, I રસ દેવ નિરંજન કો પિવહી. ગહિ જોગ જુગાજુગ સો જિવણી || જેની અંતરંગદષ્ટિ ખૂલી છે તેને એના જ્ઞાનચક્ષુથી સર્વત્ર પરમાત્મતત્ત્વ દેખાય છે અને એ સ્વસ્વરૂપમાં રમણતા કરતા શુદ્ધ સહજાત્મ અવા નિરંજન દેવનો રસ અર્થાત આનંદ, અનુભવે છે. એવા શુદ્ધાત્માનુભૂતિરૂપ યોગને પામેલો યોગી યુગોયુગ એટલે અનંતકાળ સુધી મોક્ષરૂપ અજરામર પદ પ્રાપ્ત કરે છે. FINAL - 16-01-19 ‘શ્રમણસૂત્ર' જેમાં તે સૂત્રની એક પંક્તિ છે. ‘ત્તિ નો સંદેહિં આ 32 પ્રકારના યોગસંગ્રહોના નિર્દેશમાં ‘જ્ઞાન-સંવર નો’ ધ્યાનનો ૨૮મો યોગસંગ્રહ છે, ધ્યાન-સમાધિરૂપ યોગ પ્રક્રિયાનો સૂચક છે. આ આવશ્યકસૂત્રના નિર્યુક્તિમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ દયાન અને સમાધિના સંદર્ભમાં ‘યોગ’ શબ્દનો પ્રયોગ કરેલ છે. એમાંથી એક પાઠनिव्वाण साहए जोगे, जम्हा साहेति साहुणो / HH = Hદવમૂર્ચ્યુ, તમ્હા તે માવાનો II1010|| અર્થ : જેઓ નિર્વાણ-મોક્ષ સાધક સભ્ય દર્શન-જ્ઞાનાદિ યોગોની સાધના કરે છે અને જીવમાત્ર પ્રત્યે સમાન ભાવ-આત્મતુલ્ય ભાવ ધારણ કરે છે, તે ‘ભાવ સાધુ’ કહેવાય છે. એવી જ રીતે દશવૈકાલિક સૂત્ર, સૂત્રકૃતાંગ વગેરે ‘આગમોમાં પણ ‘યોગ’ શબ્દ ધ્યાન સમાધિનો ઘાતક તરીકે વાપરેલો છે. શ્રી હરિભદ્રસૂરિ આગમશાસ્ત્રોના ઊંડા અભ્યાસી તેમજ એક મહાન યોગદ્રષ્ટા હતા. તેમણે આગમ ગ્રંથોમાં નિરૂપાયેલા તેમજ સચવાયેલા ધ્યાનયોગની વિશદતા અને વ્યાપકતાને સરળ શબ્દદેહ આપ્યો અને તેના અનુસંધાનમાં ‘યોગદષ્ટિસમુચ્ચય,’ ‘યોગબિંદુ', “યોગશતક' અને ‘યોગવિશિકા’ ગ્રંથોની રચના કરી જેમાં અન્ય દર્શનોના યોગગ્રંથો અને તેનાં નિર્દિષ્ટ યોગપ્રક્રિયાઓ સાથે સુંદર સમન્વય કર્યો. દયાન-યોગાભ્યાસની સમસ્ત પ્રક્રિયા દેહ, ઈન્દ્રિયો અને મનથી પર સચ્ચિદાનંદ-સ્વરૂપ આત્મતત્ત્વને ઓળખવા અને અનુભવવા માટે છે. પોતાના પ્રગટ-અપ્રગટ નિજ દોષનો નાશ અને ગુણોના વિકાસ માટેની સાધના છે. જીવનમાં જેટલા અંશે રાગ-દ્વેષ અને મોહ વગેરે આંતરદોષોનું પ્રાબલ્ય ઘટે છે, 0 યોગમાર્ગની અંતર્દષ્ટિ 13 12 યોગમાર્ગની અંતર્દષ્ટિ
SR No.036507
Book TitleYogmargni Antdrashti
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy