SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા બહુ અદ્ભુત વાત ) કહેવાની શી જરૂર ? જગત્માં એક મલ્લરૂપ (રાજા)નું સૈન્ય રણના રસથી ચાલેલું તેને જોઈને કેના ચિત્તમાં ( સંકલ્પ) વિકલ્પ પ્રવેશ નથી કરતો. 53. * ઉદાર બાહુવાળા એ રાજપુત્ર (વિક્રમાંકદેવ)ની પાસે ક્રમથી દ્રવિડનું સૈન્ય આવ્યું ત્યારે ઘણે દહાડે અપકાર કરવાનો વખત જેને મળ્યો છે એવો તે રાજા (સોમેશ્વર) પણ પાસે આવ્યા. 54. ગ્રહે જેને ઝડપી લીધો હોય એવા (પિતાના) મોટા ભાઈને લડવામાં સામે જોઈને જેની આંખ આંસુથી ભરાઈ ગઈ છે, એવો વિકમાંકદેવ કાંઈને કાંઈ ઘણીવાર સુધી વિચારીને પછી આ પ્રમાણે જણાવતે હતે. 55. - ઓહોહોઆ અપકીર્તિ રૂપી ફળ દેનારું અનર્થનું બીજ અવિનય રૂપી રસના પૂરે ભરેલી વિરોધની સારણ વડે દુષ્ટ વિધિયે વાવ્યું છે. 56. કે જે હણાએલા ન્યાયવાળા આ મહારે હાટો ભાઈ શત્રુની ઓથે આવ્યો છે તેને રણના મહેરામાં ફરતો બાણ વડે કેમ વિચાર કર્યા વિના મહારે તેને વારવો ? * 57. બાપની દેલતને પણ હું શત્રુ કરીને અહીં આવીને વસ્યો છે. તે હું હાલ આને કેમ હેરાન કરૂં. ઓહોહો ! આ હોટો અનર્થ મહારા મનને પીડા કરે છે. 58. હું આંહીથી કાંઇક (કાળ) ખમી નીશરું, ગોત્ર વધ કરવાને આ મહારે બાહુ આગળ વધતો નથી. પરંતુ આ દુષ્ટ લેક મહારે માથે કાંઈક પણ અપયશ મુકીને રાજી થાય છે. 59. - શુદ્ધ અંતઃકરણવાળા એ રાજપુત્ર એમ કલંક વગરની વાણી બોલીને યશ રૂપી ધનવાળા એમણે તેની પાસે ધીરે ધીરે વિનમણનાં ક્યાં વચને ન કહ્યાં. દૂષણપણાને પામ્યો. ક્ષણમાં મારવાની અનુકુળતા ખોળે છે. મલિન બુદ્ધિ વાળાના કઠિન ચરિત્રને ધિક્કાર (હેજે.) 1. આંહી મૂળમાં વ છે ત્યાં નવ જોઈએ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036504
Book TitleVikramank Dev Charit
Original Sutra AuthorN/A
AuthorVallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size132 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy