SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ - ખેદ કરવાથી નિવૃત્ત થા, જરા ઉના નિશાસાથી ધૂસરા રંગવાળા હેઠવાળું મુખ શું કરે છે. ઈચ્છિત વસ્તુને હરકત કરનાર કર્મને નિગ્રહ કરવામાં હું આગ્રહ વાળો છું. : વેદ ભણ્યો છું, શાસ્ત્રને અભ્યાસ કર્યો છે, ઇતિહાસના માર્ગમાં ઘણે શ્રમ કર્યો છે, ગુરૂને વિષે અવજ્ઞા વગરનું હારું નિરંતર મન છે તે એમાં ઉપાય (કરવો) મહારે દુર્લભ નથી. , 39. (જ્યાં) બાળક ચંદ્રમા જેના મસ્તકમાં છે એવા કુળના પ્રભુ (શિવજી) સેવાય છે (ત્યાં) દુષ્પાપ શું છે. હાથમાં રહેલા (પદાર્થ) માટે છે ચકેરલોચને તપસ્વી (લેકે) આલસ્યથી હણાયા (છે તેથી) પાત્ર (થતા) નથી. - તે, ઈન્દ્રિય કાબુમાં રાખી છે એવો (હું) ત્યાં સુધી હારા સહિત ઘણું ભાવથી તપને માટે પ્રયત્નવાન થાઉં છું કે જ્યાં સુધી ચંદ્રખંડ જેનું ઘરેણું છે એવા જગતને ગુરૂ (શિવજી) દયા કરે. 41. ના પાપના કર્મની શાંતિ સારૂ સર્વ ઇન્દ્રિયને તપાવનારું તપ કરીને તુરત અખંડ ભક્તિ વડે શિવજીને પ્રસન્નતા પમાડું. 42. બહુ સારું એમ રાણીએ સંમતિ આપી તેથી તે રાજ બધી ચિંતા કારભારીઓ ઉપર નાંખીને પ્રાર્થિત વસ્તુની સિદ્ધિ સારૂ અનુષ્ઠાન વિશેષ કરવાને તત્પર થયો. પિતાને હાથે લાવેલાં ફુલવડે શિવજીને પૂજતા. માટીની એટલી ઉપર સુવાથી ધૂસરા અંગવાળો (થઈને) એવું તપ સાધવા માંડયું કે જેથી મહેટા ઋષિઓ પણ એનાથી હલકા પડી જાય. 44. તે સુકુમારપણું જેને એક ધન છે એવો છતાં પણ તપોધન (અ. ષિઓ) થી પણ દુઃસહ એવો પરિશ્રમ સહન કરવા લાગ્યા. તીવ્ર તપમાં રહેલો રાજા તારાની કાંતિના મંડળનો અતિથિ, ચંદ્રના જે શોભે છે. 45. - કઠણું વ્રત આચરવાથી દુબળા થઈ ગયેલ રાજાની પાસે રહેતી તે રાણી, તીણુ શરાણ ઉપર સજેલાં માણેકની સાથે અતીવ નિર્મળ પ્રભા શેભે તેમ શેભે છે. - 43. Ac. Gunratnasuri Jun Gun Aaradhak Trust .
SR No.036504
Book TitleVikramank Dev Charit
Original Sutra AuthorN/A
AuthorVallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size132 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy