SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ - 19 'નવથા હે રાજા! સર્વ સત્યુષા સમેતતું ભાગવત પુરાણોક્ત એવું વિસ્ત્રિય વચન સંક્ષિપ્ત રીતે મારે હેડે સાંભળ-૨૦૭. . શુકાદિદેવ અને અવંતિના પુત્ર અવંતિ નામની, સ્વર્ગપુરી સમાન પુરી થાપી એમ જાણવામાં છે–૨૦૮. એમ પણ કલ્પી શકાય છે કે ધર્મ, અર્થ, ને કામ ત્રણે ભેગા થઈ ત્યાંજ વસ્યા હતા, કેમકે તેમ ન હોય તે ત્યાંની પ્રજા એ ત્રણે પુરુષાર્થથી સુસંપન્ન કેમ હોય–૨૦૯. જયાં ગંભીર નાદ કરતા, ભદ્રજાતિના મહાગજ રહેતા હતા, ને દાનશીલ છતાં સદા અલિ ઉપર અકોપ હતા-૨૧૦, જયાંના પરકન્યાવિરક્ત લેક જે બુધ છતાં કલાવત્યવધિ હતા તેમણે ઉચત્વ પ્રાપ્ત કર્યું એ આશ્ચર્ય છે!-૨૧૧. સપત, ઉત્તમ મર્યાદાયુક્ત, ચળકતાં રત્નકંકણવાળા, એવા મહાયા જ્યાં સમુદ્રની વેલાની પેઠે શોભી રહ્યા હતા–૨૧૨. દેવતાએ સેવેલી છતાં તું યથાર્થ ભોગસુખ આપનારી નથી, એમ જ્યાંના લેકે અમરાવતીને પણ અતિ રમ્ય માનતા ન હતા-૨૧૩. યાને ભોગ અને ભોગસંગ પણ નરેન્દ્રને ભય પમાડે તે છે, ને જયાંના લેક ભગવતીના લેકને ઉપહાસ કરે છે–૨૧૪. એક્ટ તજવું જોઈએ ત્યાં તું તે ત્રિકૂટ છે એમ લંકાને પણ જ્યાંના લેક સકલંક માનતા હતા–૨૧૫. જયાં દંડરચના દેવગૃહમાંજ, સ્નેહક્ષય દીપમાંજ, મુષ્ટીગ્રહ ખાંમાં જ, વિષવાદ વિષેના ઘરમાં જ, વાદતર્ક વિચારમાં જ, માનૈસ્થિતિ હાટમાં જ, બંધ કેશરનામાંજ હતાં, પણ લોકમાં તેમાંનું એક હતું નહિ-૨૧૬. 1. આ શ્લોકમાં દાની પ્રતિ પણ અન્યોક્તિ છે. દાન એટલે મદ તેમ આપવારૂપ દાન. 2. કૂટ એટલે કુડ, એક કુડ ન કરવું ત્યાં ત્રણ કુડ જ્યાં હોય તે તો ખરાબજ એમ વિરોધ છે, પણ પરિહાર કે ત્રિકૂટ એવા નામનો પર્વત લંકામાં છે. લંકાને સકલંક માનવાપણું જે કહ્યું છે તે માત્ર શબ્દગત વિરોધાભાસને લઈને જ છે. - 3. કાટલાં અને અભિમાનાદિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036502
Book TitleVikram Charit
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size358 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy