SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રસ્તાવ. 171 रूवोवहसियमयरधयं पि पुहवीसरं पि परिहरिउं / इयरनरेऽवि पसिज्जइ, ही ही महिलाण अहमत्तं // 1 // રૂપે કરીને કામદેવને પણ હસનારા પૃથ્વી પતિને પણ ત્યાગ કરીને સ્ત્રીઓ પરપુરૂષમાં આસક્ત થાય છે. અહો ! સ્ત્રીઓનું અધમપણું કેવું છે?” આ પ્રમાણે વિચાર કરી રંગશૂરે ત્યારપછી તેણની સાથે વાતચીત કરવી મૂકી દીધી. તે જાણું અત્યંત દુઃખી થયેલી રૂમિ એ વિચાર્યું કે–૮ મારો ભર્તાર મારા પર નારાજ કેમ થયે હશે ? મેં તેની આજ્ઞા ઓળંગી નથી. પરપુરૂષની સાથે કાંઈ હાસ્યાદિક પણ કર્યું નથી. અપરાધ વિના મારા ઉપર વૈરાગ્ય થવાનું શું કારણ હશે ?" આ પ્રમાણે વિચારતાં બે ત્રણ દિવસ વીતી ગયા. તેટલામાં તેને વિચાર આવ્યો કે–“ખરેખર ! આ બાળકે જ મારા પતિને કુપિત કર્યો હશે, તેથી હું તેની ભક્તિ કરૂં, કે જેથી મારા પતિ મારા પર પાછા પ્રસન્ન થાય.” આ પ્રમાણે વિચારી તેણીએ ભક્તિપૂર્વક રેહકને કહ્યું કે–“હે વત્સ ! તારા પિતાને મારે વિષે અનુકૂળ કર, હવે હું તારી દાસી છું, તું જેમ કહીશ તેમ હું કરીશ.” આ પ્રમાણે સાંભળી બુદ્ધિમાન રેહક પ્રસન્ન થયા. પછી ફરીથી એકદા ચંદ્રમાવાળી રાત્રીએ રેહકે પિતાને કહ્યું કે–“હે તાત ! ઉઠો, ઉઠો, આજે પણ તે પુરૂષ જાય છે.” તે સાંભળી પિતાએ કહ્યું કે " હે વત્સ ! ક્યાં છે ? મને દેખાડ.” ત્યારે રેહકે પિતાના શરીરની છાયા બતાવી. તે જે પિતા બોલ્યો કે - “આ તો છાયા છે, પુરૂષ નથી. " ત્યારે રેહકે કહ્યું–“ હે તાત! મેં પહેલાં પણ આ જ પુરૂષ જ હતો.” તે સાંભળી રંગરે વિચાર્યું કે - “હા હા ! મેં એક બાળકનાં વચનથી દોષની શંકા રાખીને પત્નીનું વૃથા અપમાન કર્યું. " એમ વિચારી તેનો ક્રોધ શાંત થયે, અને પ્રથમની જેમ ફરીથી તે રૂકમિણી સાથે પ્રીતિથી વર્તવા લાગ્યો. - રેહક હંમેશાં પિતાની સાથેજ ભજન કરતા હતા, તેની માતા. તેની ઉપર ભક્તિવાળી થઈ હતી, પણ તે વિશ્વાસ રાખતે નહોતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036488
Book TitleShantinath Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorBhavchandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size322 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy