SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ (242 ) સતી સુરસુંદરી. ખેચરકુમારને બોલાવી આજ્ઞા કરી કે -" છ–ખંડ ભરતક્ષેત્રની અંદર જેટજેટલાં ગામ, નગર, આકર, પટ્ટણ હોય તે બધાં શેધી વળે અને અત્યારે સુરસુંદરી ક્યાં છે તેને પત્તા મેળવીને મને ખબર આપે.” વિદ્યારે સુરસુંદરીની શોધમાં ૨વાના થયા. મકરકેતુ વિરહની વ્યથા ભગવતે માંડમાંડ દેહ ટકાવી રહ્યો. એટલામાં એક દિવસે ચાર જ્ઞાનના ધારક, દ્વાદશાંગીમાં પ્રવીણ એવા દમશેષ નામે એક ચારણમુનિ અમારા સહસ્ત્રાપ્રવનમાં આવી ઉતર્યા. એમને વાંચવા માટે મારા પિતા કુમારને સાથે લઈ મુનિજી પાસે ગયા. મુનિવરે અપૂર્વ ધર્મદેશના સંભળાવી. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ વિગેરે વિષચાનું મહત્તવ વિસ્તારથી વર્ણવ્યું. જેઓ આ પાંચ વ્રતબરાબર પાલન કરે છે તેઓ વ્યાધિ, જરા, મૃત્યુ, શેક, પ્રિયવિરહ જેવા દુઃખોથી હેરાન થતાં નથી અને ભવસાગર તરી જાય છે. મુનિરાજની દેશના પૂરી થતાં, કુમારે બે હાથ જ મુનિરાજને પૂછ્યું " ભગવન્! પિલા દેવે મારી વિદ્યાઓને ઉછેદ શા સારૂ કર્યો હશે?” મુનિરાજ વરના મૂળ કારણે પિતાના જ્ઞાનબળથી વર્ણવતાં હતાં તે સાંભળતાં મકરકેતુ કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. પિતાના પૂર્વભવનું સમરણ થતાં કુમારે ગળગળા કરે? જવાબ આપેઃ " ભગવન, આપનું કથન સંપૂર્ણ સત્ય છે.” પણ ભગવદ્ ! દેવે સુરસુંદરીને ક્યાં મૂકી હશે? " કુમારે બીજો ખુલાસો માગ્યું. એના જવાબમાં મુનિરાજે જણાવ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036486
Book TitleSati Sursundari Charitram
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Atmanand Sabha
Publication Year1934
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size195 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy