SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાદશ પરિછેદ. ( 169 ) ત્તિ થવાને નિર્માએલ છે એ વિશે મને જરા ચ શંકા નથી.” એક તે શત્રુંજય રાજા પિતે અભિમાની હતું અને તેના અભિમાનરૂપી અગ્નિમાં બુદ્ધિલાએ વૃત હોમ્યું. - શત્રુંજયે પરિત્રાજિકાને સારું ઈનામ-અકરામ આપી સતાપીને રવાના કરી અને બીજી તરફ પોતાના રતનચૂડ નામના મંત્રીને કુશાગ્રપુર મોકલ્ય. રત્નચૂડે કુશાગ્રપુરમાં આવી મહારાજા નરવાહન સાથે સુલાકાત માગી અને પ્રસંગોપાત સુરસુંદરી કન્યા, ઉજજયિનીના શા શત્રુંજયને આપવા આગ્રહ કર્યો. સુરસુંદરીના પિતા નરવાહને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે " હે ભદ્ર! તમારો આગ્રહ અસ્થાને છે. સુરસુંદરી વિદ્યાધરને જ પરણવાની છે. સુમતિ નામને સમથ નૈમિત્તિક એ જ વાત અમને કહી ગયા છે અને એ મિથ્યા અને એવો કોઈ સંભવ નથી. હવે તો તમારા રાજા પણ વૃદ્ધ બન્યું છે. એણે નવકન્યાની આશા મૂકી દેવી જોઈએ અને રત્નચૂડ છે છેડાઈને બોલી ઉઠ્યોઃ “અમારા મહારાજાને સલાહ આપવાનો તમને શું અધિકાર છે? તમારું કામ તે અમારા મહારાજા માગે એટલે કન્યા સોંપી દેવાનું છે. જે દુરાગ્રહ પકડશો તો અત્યારથી જ કહી રાખું છું કે તેનું પરિણામ સારે . નહિ આવે.” - નરવાહનના ચહેરા ઉપર ક્રોધની લાલાશ દેખાઈ. તેણે કહ્યું મરી, એક સજજન તરીકે તમે મારી સાથે વાત કરે. તમે કન્યાની માગણી કરવા આવ્યા છે એ વાત ન ભૂલે. અધિકાર ચલાવવા કે તમારી આજ્ઞાનું પાલન કરાવવા મેં તમને મારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036486
Book TitleSati Sursundari Charitram
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Atmanand Sabha
Publication Year1934
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size195 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy