________________ શાસનદેવનું આપેલું સ્વપ્ન સફળ થયું અને વિ. સં. 1960 ના માગસર સુદ ૬ના દિવસે પૂ. ગુરુદેવ મિહનલાલજી મહારાજની પુણ્ય નિશ્રામાં શેઠ શ્રી અમીચંદજી બાબુ તથા તેમના ધર્મપત્ની શ્રી કુંવરબાઈ સજોડે ઘણા ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક ભવ્ય મહોત્સવ સાથે પ્રતિષ્ઠા કરી. પહેલે માળે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા શ્રી અમીચંદજી બાબુના બાળ સુપુત્ર શ્રી દોલતચંદજી તથા સીતાપચંદજી કુટુંબ સાથે રહીને કરી. આમ આ દેરાસરો આ નાનકડો ઈતિહાસ છે. ત્યારપછી આ દેરાસરની સગવડતાઓ અને રેનક વધારવામાં શેઠ શ્રી સીતાપચંદજી સપરિવાર તથા તેમના વડિલ બંધુશ્રી દોલતચંદજીના સુપુત્ર શેઠ શ્રી ચંદુભાઈ તથા રાજુભાઈ વિગેરે તથા ટ્રસ્ટી મંડળના સહકારથી સારે એ ફાળો આપતા રહ્યા છે. આ મંદિર ભારત સરકારના પર્યટન ખાતાએ મુંબઈમાં જોવા લાયક સ્થળોમાં દાખલ કરેલ હોવાથી દર વર્ષે હજારે પ્રવાસીઓ આ મંદિરમાં દર્શને આવે છે. શેઠ શ્રી બાબુ-અમીચંદ પન્નાલાલ આદિશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ શાસનના અનેક કાર્યોમાં ઉદાર ભાવે સહકાર આપતું એનું નામ જગતમાં રેશન કરી રહ્યું છે. આ ટ્રસ્ટ અનેક નૂતન જિનાલયના નિમણુમાં, જીર્ણોદ્ધારમાં, સાહિત્ય પ્રકાશનમાં સારો લાભ લઈ રહ્યું છે. પરમ પૂ. પંન્યાસજી હેમપ્રભવિજયજી ગણિવર્યશ્રીએ સંવત ૨૦૪૩ની સાલમાં ટ્રસ્ટની વિનંતિને માન્ય કરીને અત્યંત ઉલ્લાસ સાથે અનેકવિધ આરાધના યુક્ત ચાતુમસ કર્યું ને ત્યાગ મૂર્તિ ગુરુદેવ સરળ સ્વભાવી સૌજન્ય મૂર્તિ એવા પંન્યાસજી મહારાજને પિતાના આંગણે 5. પૂ૦ આચાર્ય વિજય મેરૂપ્રભસૂરીશ્વરજી મ. સા.ના વરદ હસ્તે તથા બીજા આઠ આચાર્ય ભગવતે આદિ પદવીધરે તેમજ સાધુ સાધ્વીજીઓ તેમજ શ્રાવક શ્રાવિકાP.P.Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust I ll