SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સુદર્શના પૂર્વે તિયચના ભવમાં બાણના પ્રહારની મહાનું વેદનાથી ઉત્પન્ન થયેલું દુઃખ મરણ થતાં જ તેનું સર્વ અંગ કંપવા લાગ્યું અને તેને લઈ ધબ દઈ પૃથ્વીતળ પર ઢળી પડી. પિતાની વહાલી પુત્રીને પૃથ્વીતળ પર ઢળી પડેલી જોતાં જ, રાજા પણ મૂચ્છ ખાઈ જમીન પર ઢળી પડયો. આ બનાવ જોતાં કુંવરીની માતા અને તેના ભાઈઓ દુઃખિયા થઈ આજંદ કરવા લાગ્યા. પૂર્વે કઈ વખત નહિ જોયેલી રાજકુમારીની આવી અવસ્થા દેખી સભાના સર્વ લેકે અકસ્માત ક્ષોભ પામી ગયા. આખી સભામાં હાહારવથી વિરસ મહાન કલકલ શબ્દ ઊછળવા લાગે. આજંદ અને પ્રતાપના કરણ શબ્દો પ્રસરવા લાગ્યા. આ દુ:ખદાયક બનાવના સમાચાર શહેરમાં ફેલાતાં નાગરિકે ભ પામ્યા. ભયભ્રાંત, તરલ નેત્રવાળાં, અશરણુ અને શૂન્ય મનવાળાં થઈ કે આમ તેમ દેડવા લાગ્યા. નાના પ્રકારના સંકલ્પવિકલ્પથી હાથ પગ કપાવતાં વૃદ્ધ વણિકો સ્થળે સ્થળે એકઠા થઈ વિચાર કરવા લાગ્યા. નેસ્તીઓ સાર સાર વસ્તુ સંકેલવા લાગ્યા. દેશી વાણીઆ કાપડની દુકાને સમેટવા લાગ્યા. સેનારો સોના રૂપાને છુપાવવા લાગ્યા. કંસારાઓ એક જગ્યાએ વાસણો ખડકવા લાગ્યા. રાજસભામાં અકર-માતું કોલાહલ થયેલો સાંભળી કાર્યાકાર્યને વિચાર કર્યા સિવાય રાજસેવકે શસ્ત્રો સંભાળવા લાગ્યા. મહાવત સંગ્રામ અર્થે હાથીઓને તૈયાર કરવા લાગ્યા. ઘડાવાળાઓ ધેડાને પાખરવા લાગ્યા. રથિકે Ac. Gunratnasuri M.S. | 62II Jun Gun Aaradhak Tre
SR No.036477
Book TitleRajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Vijaykesharsuri
PublisherMuktichandra Shraman Aradhana Trust
Publication Year1987
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy