________________ અગિયાર પ્રતિમા અને ગિરનારને સંઘ આ સર્વ વિષયને સમાવેશ આ ચરિત્રમાં થાય છે. - દષ્ટાંતમાં અનગદત્ત, મેઘરથ, વીરભદ્ર, કળાવતી, વિષ્ણુકુમાર, નરવિક્રમ, શ્રેયાંસકુમાર, મારુદેવા, નરસુંદર, મહાબળ, જીણું વૃષભ અને શીળવતીના અગિયાર પુત્રો વિગેરે વિચાર પૂર્વક વાંચી અનુકરણ કરવા જેવા છે. કુમારી સુદર્શનનું આખું જીવનચરિત્ર પ્રાયે પવિત્ર વિચારે અને પવિત્ર જીવનથી ભરપૂર છે. વિચાર કરતાં એકંદર સામાન્ય જીવોથી લઈ વિચારવાન છ પયતના સર્વ મનુષ્યને પિતાની લાયકાત અને લાગણીના પ્રમાણુમાં ફાયદો કર્તા છે. આ માગધી ચરિત્ર સાંભળવાને લાભ પ્રાયે કોઈને જ મળતું હોવાથી અને તેમાં ઉપયોગી ઉપદેશ સમાયેલું હોવાથી મેં તે ચરિત્રનું ગુજરાતી ભાષામાં ભાષાન્તર કર્યું છે. આ ભાષાંતર અક્ષરશઃ કરવામાં આવ્યું નથી, છતાં તે સહેલાઈથી સમજી શકાય તેવું લખવા માટે કાળજી રાખવામાં આવી છે. 1967 નું ગયું ચોમાસું મારા ગુરુશ્રી પંન્યાસજી કમળવિજયજી સાથે ઊંઝામાં કરવામાં આવ્યું હતું. વખત અને શાંતિ વિશેષ હોવાથી આ ચરિત્રનું ભાષાંતર ત્યાં લખવામાં આવ્યું છે. વાંચનાર વાચકેએ તેમાંથી શક્તિ અનુસાર યોગ્ય અનુકરણ કરવા પ્રયત્ન કરે. ન સં, 1968 પિષ વદ 1 પં, કેશરવિજય ગણી મુ. માણસા Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trus