SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ દશના સ 1 377 { . તદન ઢંકાયેલો હોય તે ઠેકાણે મિથ્યાત્વમેહનીય, અરધાં મેલાં વાદળાં અને અરધાં ઘોળાં વાદળામાં ઢંકાયેલો હોય તે મિશ્ર મોહનીય અને તદ્દન ઉજજવળ વાદળામાં સૂર્ય ઢંકાયેલો હોય તે ઠેકાણે સમ્યકત્વ મોહનીય. આ સ્થળે સૂર્યને આત્માના અમુક ગુણ ઠેકાણે ગણવો. તેને આવરણ કરનાર આ મિથ્યાત્વ મેહનીયને વાદળાં સમાન ગણવાં. આ મોહનીય કર્મ પ્રકૃતિના સ્વભાવને લઈને આત્માદિ પદાર્થ ઉપર યથાર્થ નિર્ણયવાળું તવશ્રદ્ધાન જીવને થતું નથી. આ કર્મપ્રકૃતિરૂપ વાદળોને હટાવી શકાય છે. તેમ કરવાના ઉપાય છે. જેમ જેમ ક્રોધ, માન, માયા અને લોભની પ્રબળતાને મંદ, મંદતર, મંદતમ કરવામાં આવે છે, સત્સંગને સમાગમ મેળવવામાં આવે છે. મધ્યસ્થ દષ્ટિ રાખી વિના પક્ષપાતે વસ્તુત્વને વિચાર કરવામાં આવે છે અને મનને કલુષતા વિનાનું વિશુદ્ધ રાખવામાં આવે છે તેમ તેમ આ સમ્યગદર્શન ગુણ વિશુદ્ધ-વિશુદ્ધતર રૂપે પ્રગટ થતો ચાલે છે. ઉપાધિ ભેદથી યા અપેક્ષાથી આ સમ્યક શ્રદ્ધાનના અનેક ભેદો થઈ શકે છે. તે સર્વમાં તત્ત્વનું શ્રદ્ધાન થવું એ સામાન્ય અર્થ છે. યાને મુખ્ય ભેદ છે. તે પહેલો પ્રકાર છે. કેઈના ઉપદેશ સિવાય–સ્વાભાવિક પિતાની મેળે જ પરિણામની વિશુદ્ધિ મેળવતાં સમ્યગદર્શન ગુણ પ્રગટ થાય છે. તેમજ ગુર્નાદિકના ઉપદેશદ્વારા વિશુદ્ધિ મેળવતો પણ આ ગુણ . Ac. Gunratnasuri M.S. ? I 3ss | થી 7 Jun Gun Aaradhak Trust
SR No.036477
Book TitleRajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Vijaykesharsuri
PublisherMuktichandra Shraman Aradhana Trust
Publication Year1987
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy