________________ સુદાન || 294 || | 294 I કાળકૂટ ઝેર ભક્ષણ કરવું કે તેવું જ કંઈ શુભાશુભ કાર્ય કરવું હું યોગ્ય ધારું છું પણ આ માનભંગ સહન કરે તે મને યોગ્ય નથી લાગતું, મરવું, પરદેશ ગમન કરવું કે બંધુવર્ગને ત્યાગ કરે તે મને યોગ્ય છે, પણ માનભંગ થાય ત્યાં ક્ષણમાત્ર પણ મારે ન જ રહેવું. આ પ્રમાણે છેવટનો નિશ્ચય કરી પોતાના પરિજન-સ્નેહી વર્ગને બોલાવી કુમારે કહ્યું : મારા વ્હાલા સ્વજને અને સ્નેહીઓ! પિતાના પરાભવથી કહો કે આજ્ઞાથી કહે પણ અત્યારે હું આ દેશને ત્યાગ કરુ છું. અવસરે પાછો આવી હું તમને સંભાળીશ, માટે તમે સર્વ શાંતિથી રહેજે. લાંબા વખતના વિરહસૂચક કુમારના શબ્દો સાંભળી તેને પરિવાર રડવા લાગ્યો. કુમારે તેમને ધીરજ આપી સબળ કારણ જણાવ્યું. પિતા, પુત્ર વચ્ચે અત્યારે કટોકટીનો વખત જણાતાં પરિજનોએ થોડા વખતમાં સ્વાભાવિક ચૂપકી યાને શાંતિ પકડી. કુમારે શિયળવતીને જણાવ્યું–પ્રિયતમા! તું અત્યારે તારા પિતાને ઘેર જો. હું આ દેશનો હાલ તો ત્યાગ કરે છે. ભાવિ હશે ત્યારે આ દેશમાં મારું પાછું આગમન થશે. પતિનાં આવાં વચન સાંભળી દુસહ વિગદુ:ખથી દુ:ખી થઈ પિતાના નેત્રમાંથી અશ્રપ્રવાહને વહાવતી શીળવતી કાંઈ બોલ્યા–ચાલ્યા સિવાય ઊભી રહી. પ્રિયા તું શા માટે રુદન કરે છે? સંસારી મનુષ્યને માથે આપદાઓ પડે છે. તેમાં Ac Gunratnastiri M.S. . Jun Gun Aaradhak