SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ સુના આશ્ચર્ય કે શેક શાનો? સુંદરી, ખરા પ્રસંગે વિવેકી મનુષ્યએ ધીરજ રાખી વિવેકને ઉપયોગ કરવો જોઈએ. શીળવતી–મનવેલ્લભ ! હું ધૈર્યવાન છું અને મનને ધીરજ પણ આપું છું, પણ આપ મને આમ અકાળે મૂકીને જાઓ છો તે દુ:ખ મારાથી સહન નથી થતું. વળી મારા પિતાએ આપને ભલામણ કરી હતી કે મારે એક જ પુત્રી છે. દેહની છાયાની માફક તેને કોઈ પણ ઠેકાણે એકલી ન મૂકશે.” આપે તે વચનની કબૂલાત આપી છે, છતાં આપ મને મૂકીને કેમ જાઓ છો? રાજકુમાર–સુંદરી ! મને તે વાત યાદ છે. પણ તું સુખમાં ઊછરેલી છે. રસ્તાઓ વિકટ છે. પગે ચાલવું, ટાઢ, તાપ, ક્ષુધા, તૃષા વિગેરે રસ્તાઓમાં સહન કરવું જોઈએ તે તારાથી કેમ બનશે? શીળવતી–પ્રાણનાથ ! આપ સાથે હોવાથી વિષમ માગ પણ મને ઘર સમાન થશે પણ આપ સિવાય આ રાજમહેલો તે અટવી કે સ્મશાન સમાન મારે મન છે, આપની સાથે રહી દુ:ખ સહન કરવું તે તથા ભિક્ષા પણ સુખકારી છે પણ રાજમહેલમાં રહી આંતર દુ:ખ વેઠવું તે ઠીક નથી. આપ મારી સાથે હશે તો સસરાજીનું કે પિતાજીનું મને કાંઈ પ્રજન નથી. વિદ્વાને ખરું સુખ તેને કહે છે કે જેનાથી મનને Jon Gun Aaradhako P.P. Ac. Gunratrasuri M.S.
SR No.036477
Book TitleRajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Vijaykesharsuri
PublisherMuktichandra Shraman Aradhana Trust
Publication Year1987
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy