SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ દશના આ + 29 પિતાના હાથ કાપ્યા પછીની સર્વ હકીકત જણાવી. તે સાંભળી રાણીના શિયળ વિષે રાજાને મોટું આશ્ચર્ય ઉત્પન્ન થયું. રાજાએ કહ્યું : દેવી! મારા આ સાહસ કતવ્યથી આ જગતમાં મારો અપયશનો પટહ અને તારા દઢ શિયળથી શિયળ ગુણની ઉજજવળ યશપતાકા, નિરંતરને માટે આ દુનિયામાં ફરકયા કરશે. કરુણાસમુદ્ર ગુરુમહારાજના કહેવાથી મને તારા સમાગમની આશા થઈ હતી અને તેથી જ હું મરણ પામ્યો નથી. કેમકે તેમ થવાથી તને વળી બીજું દુઃખ થશે. આ ભયથી જ હું જીવતો રહ્યો છે. રાણીએ કહ્યું : ધન્ય છે તે નિર્મળ જ્ઞાનને ધારણ કરનાર પૂજ્ય ગુરુવર્યને કે જેણે તમને એ શુદ્ધ બુદ્ધિ આપી. તે મહાનુભાવ મુનીંદ્ર કયાં છે? મને બતાવો, તેમના દર્શનથી મારા આત્માને પવિત્ર ક ઇત્યાદિ પરસ્પર દિલાસે આપતાં અને દિલગીરી જણાવતાં, તે નવીન સ્નગ્રંથિથી પુન:જોડાયેલાં દંપતીને રાત્રિ ક્ષણવારની માફક સમાપ્ત થઈ. સૂર્યોદય થતાં પિતાના ષકર્મથી નિવૃત્ત થઈ તે દંપતી (સ્ત્રી ભરથાર) અમીતતેજ ગુરુ પાસે આવી પહોચ્યાં. ગુરુવર્યને વંદના ! કરી ઉચિત સ્થાનકે બેઠાં. ગુરુશ્રીએ પણ અવસર ઉચિત શિયળગુણની શ્રેષ્ઠતાવાળી ગંભીર દેશના આપી. P.P.Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak
SR No.036477
Book TitleRajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Vijaykesharsuri
PublisherMuktichandra Shraman Aradhana Trust
Publication Year1987
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy