________________ સુદર્શના 1 219 સાવધાન થઈ એકાગ્રતાથી સાંભળવા બેઠી. વામણાએ મંગલાચરણમાં જણાવ્યું કે મને રાજાની સેવા કરવાનો વખત થયો છે એટલે આ કથા લાંબો વખત નહિ ચાલે, પણ આંતરે આતરે પૂરી થશે. આ પ્રમાણે કહીને કથા શરૂ કરી. ભારતવર્ષમાં તામ્રલિસિ નગરી ઘણી સુંદર છે. ત્યાં ઋષભદત્ત સાર્થવાહ વસે છે. તેને વીરભદ્ર નામનો પુત્ર છે. તેનો સાગરદત્ત શ્રેષ્ઠીની પુત્રી સાથે વિવાહ થયા હતા. એક દિવસે પિતાની પત્નીને ભરનિદ્રામાં છેડી તે દેશાંતરમાં ચાલ્યો ગયો. આટલી કથા જણાવી વામણે કહ્યું-ભાઈ! હવે તે રાજાની પાસે જવાને વખત થયા છે, એમ કહી તે ઊઠયો. વામણુને ઊઠયો જાણી શેઠની પુત્રી પ્રિયદર્શના સંભ્રમપૂર્વક ઊઠી વામણા પાસે આવી નમ્રતાથી કહેવા લાગી, “વીરભદ્ર ! ત્યાંથી કયા દેશાંતર ગયો?” વામણું-હું કુળ ને કલંકના ભયથી પરસ્ત્રી સાથે સંભાષણ કરતા નથી. પ્રિયદર્શન-હા, એમ જ છે. તમારું ઉત્તમ શિયળ ઉત્તમ કુળને સૂચવે છે, તથાપિ મહાનુભાવ! ઉત્તમ પુરુષો દાક્ષિણ્યતારહિત પણ લેતા નથી, માટે વીરભદ્ર સંબંધી કથા આગળ કહે. વામણો–તમારો વિશેષ આગ્રહ છે તો તે વિષે હું કાલે જણાવીશ. આ પ્રમાણે કહી તે ત્યાંથી ચાલ્યો ગયો. સેવકોએ આ વાત રાજાને જણાવી. રાજા ઘણે ખુશી થયો. બીજે દિવસે શ્રમણીના ઉપાશ્રય પાસે પાછી કથા કહેવાની શરૂ કરી. વામણું–વીરભદ્ર Jun Gun Aaradhak P.P.AC. Gunratnasuri M.S.