SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ સુદર્શના // 216 II પાટિયું આવ્યું. તેને વળગીને કેટલાક દિવસે તે સમુદ્રના કિનારે પામી. કિનારા ઉપર ફરતાં એક કલપતિને આશ્રમ તેણીના દેખવામાં આવ્યો. ત્યાં કુલપતિની નિશ્રાએ કેટલાક દિવસ રહી, શરીરે ઠીક થતાં કુલપતિએ પિતાના શિષ્ય દ્વારા પદ્મિનીખંડ-(આ) શહેરમાં પહોંચાડી. શહેરના પરિસરમાં આવતાં સુવ્રતા નામની સાધ્વીજી તેના દેખવામાં આવ્યા. વીરભદ્ર ચિત્રમાં બતાવેલ સાધ્વીજીનું સ્મરણ થતાં પોતાના ગુરુ જાણી તેણીએ વંદન કર્યું અને તેઓની સાથે તેમના પ્રતિશ્રયમાં (ઉપાશ્રયમાં) આવી. ત્યાં તમારી પુત્રી પ્રિયદર્શનાનો મેળાપ થશે. સાધ્વીના પૂછવાથી પિતાને સર્વ વૃત્તાંત તેણીએ જણાવી આપ્યું. ત્યાર પછી અનંગસુંદરી અને પ્રિયદર્શના બન્ને ક્રિયામાં તત્પર થઈ સુવ્રતા સાધ્વીની સેવામાં દિવસો પસાર કરવા લાગ્યા. આ બાજુ વીરભદ્રને પણ વહાણ ભાંગ્યા પછી એક પાટિયું હાથ આવ્યું. તેના ઉપર બેસી તરતાં, આકાશમાગે ગમન કરતા રતિવલ્લભ નામના વિદ્યારે તેને દીઠે. તેણે વીરભદ્રને સમુદ્રમાંથી ઉપાડી પિતાના વિમાનમાં બેસાર્યો અને વૈતાઢય પહાડ ઉપર આવેલા ગગનવલ્લભ શહેરમાં પિતાના મંદિરે લઈ ગયો. તેના રૂપાદિ ગુણોથી ચમત્કાર પામી, પિતાની રત્નપ્રભા નામની કુંવરી સાથે હર્ષથી વિવાહ કરી આપી ત્યાં જ તેને રાખે. વીરભદ્ર પિતાના સસરા રતિવલ્લભને પૂછયું કે-મારી સ્ત્રી અનંગસુંદરી વહાણુ ભાંગ્યાથી સમુદ્રમાં પડી હતી તે હાલ કયાં છે? વિદ્યારે પ્રજ્ઞપ્તિવિદ્યાને પુછીને જણાવ્યું કે પદ્મિનીખંડ Jun Gun Aaradhak True
SR No.036477
Book TitleRajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Vijaykesharsuri
PublisherMuktichandra Shraman Aradhana Trust
Publication Year1987
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy