________________ હે પ્રભુ ! અમે સંસારસમુદ્રમાં ડૂબેલા છીએ. ભવસમુદ્રમાં જહાજ તુલ્ય જિનેશ્વર ભગવાનની કહેલ ધર્મ અને સંભળાવને અને મેગ્યતાનુસાર અમારો ઉદ્ધાર કરે. સુદર્શન in 123 { | મુનિશ્રીએ જણાવ્યું–નૃપતિ ! ધર્મ સાંભળવાની તમારી પ્રબળ ઇચ્છા છે તો આત્માને હિત થાય તેમ જિનેશ્વર ભગવાને કહેલ ધમ હ* તમને સંભળાવું છું. તે ધર્મ સાંભળીને તમારે શકત્વનુસાર તેમાં અવશ્ય પ્રયત્ન કરો. જેને સત્યાસત્યને કે હિતાહિતને વિવેક નથી અથવા વિવેક આવ્યા પછી સમજવા અનુસાર પ્રયત્ન કરતા નથી તેઓ દુર્લભ ધર્માનિધાનને પામીને રીર (દરિદ્ર)ની માફક ઉપભોગ કર્યા સિવાય ખોઈ બેસે છે. મોક્ષનગર તરફ ગમન કરવાના માર્ગ તુલ્ય તે ધર્મ, ગૃહસ્થ અને ત્યાગી એમ બે પ્રકાર છે. ગૃહસ્થમાર્ગ સરલ છે પણ લાંબા ચક્રાવામાં જતા સડકના માર્ગની માફક લંબાણ રસ્તાવાળો છે ત્યારે ત્યાગમાર્ગ ઘણો નજીકનો પણ મહાન વિષમ છે. આ માર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્યએ સર્વ પાપના વ્યાપારને ત્યાગ કરવો જોઈએ. જીવની હિંસા ન કરવી, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય સર્વથા પાળવું, મમત્વ યા મમતાનો ત્યાગ કરવો, રસ્તે જોઈને ચાલવું, કઈ જીવને દુઃખ થાય તેવી ભાષા ન બાલવી, આહાર-પાણી નિર્દોષ લેવાં. વસ્ત્ર પાત્રાદિ લેવાં મૂકવાં તથા મૂત્રાદિ ત્યાગ કરવો તે જમીન આદિ પૂછપ્રમાઈ કઈ જીવને દુ:ખ I1 27 Jun Gun A nak P.P.AC. Gunratnasuri MS.