SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનાવી રહ્યા છે ફક્ત ધર્મના એકવીશ ભવનો સ્નેહસંબંધ 455 નથી કે, ધર્મ ધર્મ કરતા આ બધા શું બબડી રહ્યા છે ? જ મેહની વાણી સાંભળી અવિવેક હાથ જોડી બો.. દેવ ! આ બધા પણ અજ્ઞાન મદિરાના પાનથી ભાન ભૂલે-- લા જ છે. જો કે આ બધા ધર્મની વાત તો કરી રહ્યા છેલ્લેકને ધર્મને નામે રમાડી રહ્યા છે. એ બહાને તેઓ પોતપોતાના વાડા બનાવી રહ્યા છે ફક્ત જનરંજન માટેજ આ બધું થઈ રહ્યું છે બાકી તેમનાં હૈયાં તો ધર્મના પરમાર્થથી ઉલટી દિશામાં જ ફફડી રહ્યા છે. સત્ય સ્વરૂપથી તો તે બિચારાઓ ઠગાયેલા છે. હે દેવ! આપ જરા સુક્ષ્મતાથી આ ધમને પોકારનારાઓ તરફ જશે તો તેઓ વિવેકપર્વત ઉપર હજી ચઢેલા નથી સમાદિક મિત્રોની ઓળખ વગરના વાત વાતમાં લડી ઝઘડા કરનારા ઈષ્ય. દિક દોષવાળા છે. શુદ્ધ ચારિત્રની સેવાથી રહિત તેમજ સમિતિ અને ગુતિ વગરના આપને જણાશે. અવિવેકે આ લોકોની વસ્તુ સ્થિતિ સમજાવવા છતાં મોહ નરપતિ 9 . ' “અરે! આ બધું તું શી રીતે જાણી શ? મેહ રાજાને એ પ્રશ્નનો જવાબ આપતો અવિવેક બોલ્યો, “રાજન ! મિથ્યાદર્શન મંત્રીની આજ્ઞાથી જીવોને હરવા હું એક દિવસે વિવેક પર્વત તરફ ચાલો જો કે વિવેકપર્વત ઉપર ચઢવાને હું સમર્થ તો થયો નહિ. પણ વ્યદ્ર ગ્રહ, કદાગ્રહાદિક સુભટને મોકલી શુદ્ધાગમની વિધિને બોલતાં કેટલીક વાતો મેં સાંભળી છે તેમના અંતરની પરીક્ષા પણ કરી છે. જેથી હું કંઈક જાણું છું દેવ! “એ તો બધું ઠીક છે પણ મારી માશીના નગરેમાંય મારા ભક્તો છે કે નહિ? મેહરાજાએ અવિવેકને પૂછયું. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy