________________ 448 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - “આહ ! એક નાના બાળકનો આ મિજાજ ! નક્કી ઘે મરવાની થાય ત્યારેજ વાઘરીવાડે જાય છે. વિનાશકાળે પાસે આવે છે ત્યારેજ બુદ્ધિમાં વિકાર-ફારફેર થાય છે. રાજા તો નવે ને બાલક છે પણ એના મંત્રીઓ પણ શું સ્વપરના બલથી અજ્ઞાત છે કે ઉદ્ધતાઈ કરી રહ્યા છે–નાહક પિતાને ક્ષય કરાવી રહ્યા છે.” એમ બોલતો રાજા રાજશેખર ચતુરંગી સેનાથી પરવારેલે, ક્રોધથી અધરને હસતો, મહામંડલને ધ્રુજાવતો કુસુમાયુધ ઉપર ચડી આવ્યો, - શિવવર્ધનપુરમાંથી નિકળેલ સાર્થવાહ વાસવદત્ત શીધ્રગતિએ ચંપામાં આવી ચંપાપતિને નમ્યો. “દેવ! દેવી, રાજકુમાર અને નવીન રાજ્યના આવાગમનવડે. આપ વૃદ્ધિ પામે ! ચંપાનરેશ આગળ ભેટ ધરી સાર્થવાહ બેલો. - સાર્થવાહના વચનથી વિસ્મય પામેલે રાજા બોલ્યો. “શેઠ! જ સ્પષ્ટતાથી કહે. તમારા કથનનો ભાવાર્થ શું છે?” સાર્થવાહે દેવીની પુત્રની અને રાજ્ય પ્રાપ્તિની વાત નરપતિને કહી સંભળાવી. તે પોતાના કુટુંબની કુશળતાની વધામણિથી પ્રસન્ન થયેલા રાજાએ સાર્થવાહને ખુબ ધન આપી રાજી કર્યો અને સાર્થવાહનો કર માફ કર્યો. ' સાર્થવાહને રાજી કરી ચંપાપતિ તરતજ મંત્રી સામંત સેનાપતિ આદિ પરિવાર સાથે શિવધનપુરમાં આવી પ્રિયા અને પુત્રને મળ્યો. પ્રિયમતીએ પોતાના પિતાને પણ સમાચાર મોકલવાથી માનતુંગ રાજા પણ પોતાના પરિવાર સાથે પુત્રીને મળવા આવી પહો ! ! ! . કે ચરમારફતે અવંતીપતિને માર્ગમાં આ સમાચાર મલતાં એના હૈયામાં મેટ. ધ્રાસ્ક પડ્યો, “અરરર! અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust