________________ - 442 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજાને ખુબ સમજાવ્યો. મંત્રીઓએ નિમિત્ત જાણનારને રાજા સમક્ષ હાજર કરી દેવીનો વૃત્તાંત પૂછયો. પ્રશ્ન લગ્ન અને નિમિત્ત જોઈ નિમિત્તજ્ઞ પણ . “દેવ આપનાં પટ્ટદેવી પુત્ર સહિત આપને કાલાંતરે મલશે. માટે આપ ચિંતા કરશે નહિ.” નિમિત્તકના વચનથી શાંત થયેલો રાજા ભેજન કરી દેહને ટકાવતો સમય નિર્ગમન કરવા લાગ્યો. કુસુમાયુધ ભયંકર અટવીમાં સાવધ થયેલી પટ્ટદેવી પ્રિયમતીએ શું જોયું? ચારેકેર ઘેર જંગલ જોઈ એના હૈયામાં ધ્રાસ્ક પડશે. “અરે! આ શું ! આ તે જાણે છે કે ભ્રમણા ! મારૂં વાસભુવન કયાં ને આ ઘોર જંગલ કયાં ! રાણું વિલાપ કરવા લાગી. “અરે ! શું વિના અપરાધે રાજાએ મારે ત્યાગ કર્યો ! આ ઘોર જંગલમાં મારું શું થશે! નક્કી પરભવનાં મારાં પાપ ઉદય આવ્યાં, કે આ દારૂણ દુ:ખ મને પ્રાપ્ત થયું.” - પટ્ટદેવી વિલાપ કરતી ને શ્વાપદાદિથી ભય પામેલી મનમાં “નમો અરિહંતાણનો જાપ જપતી મહાકણે ઉભા થઈ ચારે તરફ અરણ્યની ભયંકરતા જેતી “હવે કયા જાઉઝ વિચાર કરતી પદવી દક્ષિણ દિશામાં ચાલી, સિહ, વ્યાધ્ર અને શિયાળવાના શબ્દથી ભયભીત થયેલી રાણીની ચરણ ઉન્માર્ગ ગમન કરવાથી કાંટા કાંકરા વગેરેથી વધાવી લાગ્યા. કષ્ટના આવેશથી મૂછિત થઈ જતી પટ્ટદેવી વનના શીતલ વાયુથી સાવધ થઈ, વળી દુ:ખેદુ:ખે માગ કાપતા. આગળ ચાલી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust