________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 41 કોપાયમાન થયેલી દેવી બળવાન અને પુણ્યવાન રાજાનું બીજુ તે શું અપ્રિય કરી શકે? પણ વનદેવીએ મધ્યરાત્રીને સમયે પટ્ટદેવીનું નિદ્રાવસ્થામાં હરણ કરી તેને ઘર અરણ્યમાં છોડી દીધી. પ્રાત:કાળે રાજા નગરમાં આવ્યો. રાજમહેલમાં પ્રવેશ કરી રાજા પટ્ટદેવીના વાસભુવનમાં આવ્યો તો પટ્ટદેવી હાવ ભાવ કરતી રાજાની પાસે આવી કામ વિકારમય ચેષ્ટા કરવા લાગી. એની આ ચેષ્ટા જોઈ રાજા તાજુબ થઈ ગયે. આ પટ્ટદેવી ન હોય, નકી પેલી વ્યતીની આ માયા છે હજી પણ તે મારો પીછો છોડતી નથી. ક્રોધાયમાન રાજાએ મુષ્ટિનો પ્રહાર કરી તેના કેશ ખેંચીને વાસભુવનમાંથી બહાર ખેંચી કાઢી, ફાળથી ભ્રષ્ટ થયેલી મૃગલીની માફક દેવી-પટ્ટદેવી થયેલી તેણી અદશ્ય થઈ ગઈ રાજાએ પટ્ટદેવીની શોધાશોધ કરી પણ કયાંય પત્તો લાગે નહી, જંગલમાં, વનમાં, ઉપવનમાં ઘોડેશ્વારે પટ્ટદેવીનો પત્તો લાગ્યું નહિ. નિરાશ થયેલો રાજા દેવીનું એ કૃત્ય જાણી ધીરજ ધારણ કરી રહ્યો. - સંસારનું સ્વરૂપ ચિતવતો રાજા સાવધાનપણે બ્રહ્યુંચર્યને પાળતો મનમાં વિચાર કરવા લાગ્યો “અરે, પુત્ર સહિત કુશળક્ષેત્રે હું દેવીને જઈશ કે તુરતજ હું તે પછી આ અસાર સંસારનો ત્યાગ કરી સંયમ આદરીશ. એ છા વનદેવીએ હરણ કરી મારી પ્રિયાને એણે ગમે ત્યાં મુકી હોય ત્યાં એ ઘર્મપ્રસાયે ગર્ભસહિત કુશલ રહે.” શેથી આકળ વ્યાકુળ રાજા ભેજનનો પણ ત્યાગ કરીને રાજકાર્યથી પરાભુખ થઈ ગયે ત્યારે મંત્રીઓએ P.P. Ac. Gunratnasuri M. Jun Gun Aaradhak Trust