________________ એકવીશ ભવને નેહસંબંધ 405 તું કોણ છે? અને શા માટે મૃત્યુને ઉદ્યમ કરતી હતી તે કહે, >> એ પુરૂષના શબ્દોથી રાજી થતી બાળા બેલી, પદ્મખંડ નગરના રાજા મહસેનની હું રાજપુત્રી, મારૂં નામ સુલક્ષ્મણા, મારા પિતાએ મને મહાબલ નરેશના પુત્ર શ્રીબલને આપેલી હતી. એકદા સખીઓ સાથે ક્રીડા કરતાં કોઈ અધમ વિદ્યાધર મારૂ હરણ કરી ગયે તે આ જંગલમાં મને મુકી અપરાજીતા નામની વિદ્યા સાધવાને ગયો છે. તે સમયનો લાભ લઈ એ દુષ્ટ મારા ઉપર બલાત્કાર કરે તે કરતાં મારે મારા પ્રાણેને જ છોડવા એમાં ખોટું શું છે? કુમાર ! બાળા સુલક્ષ્મણોએ પિતાની કથા ટુંકાણમાં કહી સંભળાવીને ઉપરથી પૂછયું, " આપ શ્રીમાન કેણ છો ? આ ભયંકર અરણ્યમાં આપ એકલા ક્યાંથી ?" સુલક્ષણના પ્રશ્નના ઉત્તરમાં કુમારે પોતાની ઓળખાણ આપી. જેથી બાળા પિતાના ભાવી પતિને જાણી રાજી થઈ. એ સમય દરમિયાન વિદ્યા સિદ્ધ કરી શ્રીગુપ્ત પણ નિમિત્તજ્ઞાનથી જાણીને શ્રીબલની પાસે આવ્યો. શ્રીગુપ્તને જોઈ શ્રીબલ અધિક પ્રસન્ન થઈ બોલ્યો, “મિત્ર! પિશાચ ક્યાં ગયે ને તેના પંજામાંથી તું શી રીતે મુક્ત થ. ? ? - “મિત્ર ! એ બધી પિશાચની માયા હતી, મને કાંઈ પણ વિદ્ય વગર વિદ્યા સિદ્ધ થઈ પણ તને ન જેવાથી હું દુિ:ખી થઈને નિમિત્તથી તારો વ્યતિકર જાણી હું આવી પહોંચ્યો છું. નિમિત્તથી એ પણ મેં જાણ્યું કે તારા સત્વથી પ્રસન્ન થયેલો એ પિશાચ તારી પ્રિયાનું રક્ષણ કરવા માટે તને અહીયાં ખેંચી લાવ્યો છે. તો હે મિત્ર! ગાંધર્વ વિવાહથી અત્યારે જ તુ આ બાળા સાથે લગ્ન કર, અત્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust