SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 331 મને આ વૈતાળમંત્ર આપ્યો. જે મેં આદરથી સિદ્ધ કરેલો હોવાથી એના પ્રભાવથી આપણે બધું મેળવીએ. છીએ. એના પ્રભાવથી હું હવે ઘેર જઇને સુખી થઈશ.” અને અન્ય વાર્તાલાપ કરતા તેઓ આગળ ચાલ્યા.. આગળ જતાં બન્નેના માર્ગ ભિન્ન ભિન્ન આવવાથી એ. માંત્રિક બેલ આ ટુંકે રસ્તો તમારા નગર તરફને હેવાથી હવે આપણે જુદા પડશું તો કહો તમને શું આપુ? ) કોટિનથી પણ સંતોષ નહિં પામનારે ગુણધર, છે . મારી ઉપર પ્રસન્ન થઈને મને એ વૈતાલમંત્ર આપો ! " ધાર્મિક અને પરોપકારી પુરૂષજ એને સિદ્ધ કરી. શકે છે અન્યથા તો એમાં પ્રાણસંદેહ જ રહેલો છે. " માંત્રિકે સારી રીતે સમજાવવા છતાં ગુણધર એ મંત્રની માગણી કરવાથી એ સિદ્ધપુરૂષે વિધિ સહિત વૈતાલિક મંત્ર આપીને પોતાના વતન તરફ ચાલ્યો ગયો. ગુણધર. પણ ત્યાંથી આગળ ચાલતા તે સુસીમા નગરીએ પોતાના મામાને ઘેર ગયો કેટલોક કાળ ત્યાં સુખમાં વ્યતીત કર્યા પછી તે મંત્ર સાધવાનો તેણે વિચાર કર્યો. પિતાના મામાને સઘળી હકીકત નિવેદન કરી કૃષ્ણ . ચતુર્દશીની રાત્રીએ શમસાનમાં જઈને ત્રિકેણ કુંડ કરી તે વિવિધ પ્રકારનાં હોમ દ્રવ્યથી હવન કરવા લાગ્યો.. દ્રવ્યથી આહુતિ આપી મંત્રનો જાપ કરવા લાગ્યો. શુક ઉપદ્રવથી તે જ્યારે ચલાયમાન થયે નહિ, ત્યારે તેની . નીચેનું પૃથ્વીચક્ર ભમવા લાગ્યું. ભયંકર ગજનાઓ થવા, લાગી. તેથી તે જરા ભય વ્યાકુળ થવાથી મંત્રનું એકપદ, ભૂલી ગયો ને વૈતાળ છળ પામીને બોલ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy