________________ 320 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર માગે ખેંચી જાય છે તે પિતાના આત્માને તેમજ બીજાને. દુર્ગતિમાં પાડે છે.” આ સુંદરીની વાણી સાંભળીને અભિમાની પરિત્રાજિકા . એને ધમકાવીને ચાલી ગઈ. “અરે! તું મોટી સતીમાં શિરોમણિ છે તે હવે જોઈ લેવાશે.” પરિત્રાજિકાએ તે પુરૂષોને સર્વે હકીકત કહી સંભલાવીને શિખામણ આપી કે “અરે! જો તમારે જીવિતની ઈચ્છા હોય તો એ સુંદરીની ઈચ્છા કરવી છેાડી ઘો. એ દુષ્ટોને શિખામણ આપી પરિવાજિક ચાલી ગઈ છતાંય એ દુર્લલિત પુરૂષની અભિલાષા તો અધિક પ્રજ્વલિત થઈ. હવે એ પુરૂએ કઈ મંત્ર સિદ્ધ પુરૂષને સાથે, મંત્રસિદ્ધના કહેવાથી કૃષ્ણ ચતુર્દશીની રાત્રીએ એ ચારે પુરૂષો શમશાનમાં આવ્યા, ત્યાં પવિત્ર ભૂમિમાં મંડલને આલેખી તેમાં બેસીને મંત્રની અધિષ્ઠાયક દેવીની પૂજા કરી વિધિપૂર્વક આરાધના કરવાથી મંત્રથી આર્જાયેલી દેવી હાજર થઈ. તેને પેલા મંત્રસિદ્ધ પુરૂષે સુંદરીને હાજર કરવા ફરમાવ્યું, પિતાને ઘેર રહેલી પૌષધવતવાલી સુંદરીને દેવીએ સિદ્ધપુરૂષ પાસે હાજર કરતાં દેવી બોલી “અરે પાપી! આવા પાપકાર્યમાં મને જડી તારી શક્તિને તેં દુરૂપયોગ કર્યો.” એમ કહીને અદશ્ય થઈ ગઈ.' એ સિદ્ધપુરૂષે પેલા ચારે દુષ્ટ પુરૂષોને બતાવતાં કહ્યું જુઓ આ સુંદરી, કે જેની તમે ઈચછા કરે છે તે આ રહી, હવે તમને જેમ રૂચે તેમ કરે. . * સિદ્ધપુરૂષનાં વચન સાંભળી એ ચારે દુલલિત પુરૂષ સુંદરી સાથે રમવાને આતુર થયેલા “જે સુંદરીને પ્રથમ સ્પર્શ કરે તે પહેલે રમે એવી શરત કરીને દેથા, પણ P.P. Ac. Gunratnasuri M.S. Gun Aaradhak Trust