SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ 310 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વિજયમાં ચંદ્રાભા નગરીના શ્રેષ્ઠી પુરંદરને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ સ્થાપન કર્યું સિદ્ધદત્ત, તે કળામાં કુશલ થઈને અનુક્રમે યૌવનવયમાં આવ્યું. વસુદત્ત પણ કુકર્મથી આજીવિકા ચલાવતો મરણ પામીને કેઈ બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થયે તેનું નામ કપિલ, દરિદી હોવા છતાં કપિલને એના માતાપિતાએ પરણાવ્યો તેની સાથે વિષયસુખ ભોગવતાં તેને બહુ પુત્રો થયા. માતાપિતાના મરણ પામવા પછી દારિદ્રથી દુ:ખી થયેલો કપિલ સ્ત્રીના તિરસ્કારથી દ્રવ્ય ઉપાર્જન કરવાને ચાલ્યો ગયો. પણ પાપના ઉદયથી તેને કાંઈ લાભ થયો નહિ-દુ:ખી દુ:ખી થઈ ગયે, પારાવાર દુ:ખમાં ભટકતા એ કપિલને એક દિવસે કેઈ કાપાલિક સાથે ભેટે થયો. ધનનો અર્થ જાણીને કપિલને તે કાપાલિકે કહ્યું. “જો તારે ધનની જરૂર હોય તો ચંકાભા નગરના ઉદ્યાનમાં રહેલી આશાપૂરિકા દેવીની આરાધના કર, તો તારી આશા સફલ થશે.” * કાપાલિકનાં વચન સાંભળી કપિલ ચંકાભા નગરીએ આવી પુષ્પાદિકથી દેવીની પૂજા કરી ધ્યાન, મન અને ઉપવાસથી દેવીની આરાધના કરવા લાગ્યો, ત્રણ દિવસ, વહી ગયા ત્યારે રાત્રીને સમયે દેવી બોલી, “તું શા માટે. અહીં બેઠા છે ? ધન માટે ટૂંકમાં કપિલ બોલો. . કે “કઈ દિવસ તેં કોઈને કાંઈ આપ્યું છે કે તું ધન માગે છે. દેવીના કહેવા છતાં તે કપિલ બે , “હે દેવી! ધન વગર આ દુનિયામાં જીવતર ઝેર સમાન છે માટે ધન નહી આપે તે તારા દ્વારે હું તો મરીશaratતેને નિશ્ચય. P.P. Ac. Gunratnasur M.S
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy