SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ 296 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આજીવિકા ચલાવતો હતો તેને પેલા વાઘે એક દિવસે મારી નાખે, તે મરીને ભિલ્લ થયે, એક દિવસ તે જિલ્લા વનમાં ગયે તેને પણ પેલા વાઘે મારી નાખ્યો. એ ભિલ્લના કુંટુંબીઓએ વાઘનેય મારી નાખ્યો. બન્ને મરણ પામીને અટવીમાં કલભ અને વરાહ થયા. - પૂર્વના વેરથી બન્ને યુદ્ધ કરવા લાગ્યા. તેમને કઈ શિકારીએ મારી નાખ્યા. મરણ પામીને બન્ને કલભ થયા, પિતાના ટેળામાંથી ભ્રષ્ટ થયેલા તેઓ બન્ને યુદ્ધ કરવા લાગ્યા. ભિલ્લોએ યુક્તિથી તેમને પકડી લીધા ને ચંદ્રરાજાને અર્પણ કર્યા. ત્યાં પણ યુદ્ધ કરતા તેઓને રાજાએ મહામુકેલીએ જુદા કર્યા. એ સમયે ત્યાં કેવલી ભગવાન સમવસર્યા, તેમને ઉપદેશ સાંભળી રાજાએ આ બન્ને હસ્તિઓનો વૃત્તાંત પૂછયો. 1 કેવલી ભગવાનના મુખથી એ કલભ યુગલનો વૃત્તાંત જાણી વૈરાગ્ય પામેલા ચંદ્રરાજાએ પોતાના પુત્રને ગાદી ઉપર બેસાડી ચારિત્ર ગ્રહણ કર્યું. શુદ્ધ ચારિત્ર પાળીને તે સ્વર્ગે ગયો, - પેલા બન્ને ગ–કલ ક્રોધથી ધમધમતા મરણ પામીને પ્રથમ નરકે ગયા. ત્યાં પરમાધામી કૃતવેદના, ક્ષેત્રકૃતવેદના અને અન્ય અન્યકત વેદના ઘણુ કાલ પર્યત જોગવીને વારંવાર અનેક કોનિમાં ભ્રમણ કરશે, માટે હે શ્રાવિકાઓ ! હિંસાથી થતા દોષો અને દયાથી થતી ગુણેને જાણું તમે હિંસાનો ત્યાગ કરો. * મુનિ દયાને ઉપદેશ આપીને વિરમ્યા. ન મુનિના ઉપદેશથી વૈરાગ્ય પામેલી તે સ્ત્રીઓએ પહેલું સ્થલપ્રાણાતિપાત વિરમણ અણુવ્રત અંગીકાર કર્યું. જીવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy