SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 275 શિખે નગરમાં જઈ પોતાના પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યો. પછી ચારિત્ર લેવાની આકાંક્ષાવાલા રત્નશિખે શ્રી તીર્થકર ભગવાન સમીપે સંયમ સ્વીકાર્યું. ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈ કર્મ ખમાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી પૃથ્વીમંડલ પર વિહાર કરતા અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ કરી રત્ન-, શિખ મોક્ષે ગયા. - ધર્મવસુ ગુરૂએ પંચ પરમેષ્ઠી જાપ ઉપર રત્નશિખનું , કહેલું દૃષ્ટાંત સાંભળીને ધર્મરસિક વિમલકીર્તિ રાજાએ , દેવરથકુમારને રાજ્ય પર સ્થાપન કરીને દીક્ષા ગ્રહણ કરી.. પોતાનું આત્મકલ્યાણ સાધ્યું. સમ્યકત્વધર્મની આરાધના. ' દેવરથકુમાર હવે દેવરથ નરપતિ થયા. રૂપવતી રાણી રત્નાવલી સાથે વિવિધ ભેગોને ભોગવતો રાજ્યનું પાલન કરવા લાગ્યો, સમ્યકત્વવાન અને બારવ્રતને ધારણ કરનાર દેવરથ અહર્નિશ પંચપરમેષ્ઠી નમસ્કારના જાપ જપ્યા કરતે હતા, એ પ્રમાણે રાજ્યસુખનો અનુભવ કરતા અને શ્રાવક ધર્મનું આરાધન કરતા દેવરથ નરપતિને ખુબ કાલ ચાલ્યો ગચો, કેમકે કાળ કાંઈ કોઈના માટે થોભતો નથી. : - ધર્મને જાણ એ રાજા એક દિવસ વિચાર કરવા લાગ્યો આ જગતમાં ધર્મના પ્રભાવથી મને ખુબ રાજ્યલક્ષ્મી મલી છે તો મારે સત્પાત્રમાં વાપરીને એ લક્ષ્મીને સદુપગ કરવો જોઈએ.” : ધર્મતત્વ અને લક્ષ્મીની અનિત્યતાને ચિંતવતો રાજા.' સભ્યત્વ, અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત વડે શેભતો . નાવલી સાથે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વર્ગની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy